SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂત અને મન ત = ભવિષ્ય લક્ષણોથી વિમુક્ત નથી. એ જ રીતે વ્યુત્થાન ત્રણ લક્ષણોવાળું છે. ત્રણ માર્ગોથી યુક્ત હોય છે. તે વર્તમાન લક્ષણને છોડીને ધર્મભાવને ન છોડતું અતીત (ભૂતકાળ) લક્ષણરૂપ પરિણામને પ્રાપ્ત થાય છે, આ તેનો ત્રીજો માર્ગ છે અને તે ભવિષ્ય તથા વર્તમાન લક્ષણોથી વિમુક્ત નથી. એ જ પ્રકારે ફરી વ્યુત્થાનને પ્રાપ્ત કરતાં અનાગત લક્ષણને છોડીને ધર્મભાવને ન છોડતાં વર્તમાન લક્ષણને પ્રાપ્ત થાય છે. કે જ્યાં તેના સ્વરૂપની અભિવ્યક્તિ (પ્રકટતા) થતાં વ્યાપાર થાય છે. આ તેનો બીજો માર્ગ છે અને તે અતીત તથા અનાગત લક્ષણોથી વિયુક્ત નથી થતું આ જ રીતે ફરી નિરોધ અને ફરી વ્યુત્થાન થતું રહે છે. (અવસ્થા પરિણામ) તે જ પ્રકારે અવસ્થા પરિણામ થાય છે. તેમાં નિરોધ સંસ્કારોના સમયે નિરોધ સંસ્કાર બળવાન હોય છે અને વ્યુત્થાન સંસ્કાર દુર્બળ હોય છે. એ ધર્મોનું અવસ્થા પરિણામ છે. તેમાં ધમનું ધર્મોના દ્વારા પરિણામ, ધર્મના ત્રણ માર્ગોવાળા લક્ષણો દ્વારા પરિણામ તથા લક્ષણોનું પણ અવસ્થાઓ દ્વારા પરિણામ થાય છે. આ પ્રકારે ગુણોનો વ્યવહાર ધર્મો, લક્ષણો તથા અવસ્થાઓનાં પરિણામોથી શૂન્ય ક્ષણવાર પણ નથી રહેતો. કેમ કે ગુણોની વૃત્તિ ચંચળ સ્વભાવવાળી છે. ગુણોનો સ્વભાવ ગુણોની પ્રવૃત્તિનું કારણ કહ્યું છે. એનાથી ભૂતો તથા ઈદ્રિયોમાં ધર્મ તથા ધર્મીના ભેદથી ત્રણ પ્રકારનાં પરિણામો જાણવાં જોઈએ. યથાર્થમાં તો પરિણામ એક જ હોય છે. ધર્મીનું સ્વરૂપ માત્ર જ ધર્મ છે. ધમની એ વિક્રિય = વિકારરૂપમાં પ્રકટ થવું જ ધર્મો દ્વારા વિસ્તારથી કહેવાય છે. તે ધર્મોમાં વર્તમાન ધર્મના જ અતીત, અનાગત તથા વર્તમાન રૂપ માર્ગોમાં ભાવો-વિકારોની ભિન્નતા હોય છે, પરંતુ દ્રવ્યની ભિન્નતા નહીં. જેમ કે સોનાના પાત્રને તોડીને અન્યથાત્વ= જુદા જુદા બનાવતાં માવ=વિકારની ભિન્નતા થાય છે, સુવર્ણ (સોના)ની નહીં. આ જ વિષયમાં બીજા આચાર્યોનો મત છે -ધર્મથી ધમાં પૂર્વતત્ત્વનો ત્યાગ ન થવાથી અનપ્પધ= અવિશિષ્ટ થાય છે. અર્થાત્ પૃથફ નથી થતો. જો વિભિન્ન ધર્મોથી ધર્મી મન્વયી = સંબદ્ધ થાય છે. તો પૂર્વ અને પછીના અવસ્થા ભેદનું અનુસરણ કરનારા કૌટચ્ચ= નિત્યત્વથી પરિવર્તિત થઈ જશે. અર્થાત નિત્ય નહીં રહેશે? એ દોષ નથી. કેમ કે પ્રાન્ત = સિદ્ધાંતરૂપે આ વાતનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. એ ત્રણેય લોકોના પદાર્થ વ્યક્તિ ભાવથી જુદા થઈ જાય છે, કેમ કે તેમના નિત્યત્વનો નિષેધ કરવામાં આવ્યો છે અને નિયુક્ત થયેલો પણ નાશ નથી પામતો, કેમકે વિનાશનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. સંસર્ગથી=મળીને બનેલી ધૂળ વસ્તુઓ અથવા વિકારભૂત કાર્ય પદાર્થોની અપેક્ષા આ ઘર્મી = કારણ તત્ત્વની સૂક્ષ્મતા છે. ફલતઃ સૂક્ષ્મ હોવાથી ઉપલબ્ધ નથી થતી. તિક્ષણ-પરિH) – લક્ષણ પરિણામવાળો ધર્મ (ત્રણેય અતીત વગેરે) માર્ગોમાં વિભૂતિપાદ ૨૪૫ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy