SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં આસન જયનો અભિપ્રાય એ છે કે આસનની સ્થિરતા થવાથી યોગીમાં એટલી સહનશીલતા આવી જાય છે કે પર્યાપ્ત ઠંડી-ગરમી પડતી હોય અથવા ભૂખ-તરસ લાગી હોય તો પણ યોગી તેને સહન કરવાના કારણે દુઃખી નથી થતો. એ ૪૮ | હવે - પ્રાણાયામનું સ્વરૂપ तस्मिन्सतिश्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥४९॥ સૂત્રાર્થ-“(તમિન ત.) જે વાયુ બહારથી અંદર આવે છે, તેને શ્વાસ અને જે અંદરથી બહાર આવે છે, તેને પ્રશ્વાસ કહે છે, તે બંનેનાં આવવા જવાનું વિચારથી રોકો, નાકને હાથથી કદીપણ ન પકડવું, પરંતુ જ્ઞાનથી જ તેમને રોકવો, તેને પ્રાણાયામ કહે છે.” (ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ-તિમિતિ) તે ઉપર જણાવેલી આસન સિદ્ધિ થતાં (શ્વાસપ્રવી) બાહ્ય વાયુનું નામ = નાસિકા દ્વારા અંદર લેવો ‘શ્વાસ” છે. અને ઈંશ્યસ્થ = અંદર ઉદર (પેટ)માં રહેલા વાયુને નાકના છિદ્રોથી બહાર કાઢવો પ્રશ્વાસ છે. વિચ્છે) તે બને (શ્વાસ તથા પ્રશ્વાસ) તિવિચ્છેદ્ર = ગતિનો અભાવ =રોકવો પ્રાણાયામ કહેવાય છે. ભાવાર્થ-અહીં યોગનાં ત્રણ અંગોનુંયમ, નિયમ, આસનનું કથન કર્યા પછી ક્રમ પ્રમાણે પ્રાણાયામનું કથન કરવામાં આવ્યું છે. પ્રાણાયામનો અભ્યાસ કરવા માટે જોકે પૂર્વવર્તી ત્રણેય અંગોનું અનુષ્ઠાન ઘણું જ જરૂરી છે, તેમ છતાં પ્રાણાયામને માટે આસન સિદ્ધિની બાબત વિશેષ પ્રયોજનને માટે “બ્રાહ્મણ-વસિષ્ઠ ન્યાયથી કહી છે. આસન સિદ્ધિ વિના પ્રાણાયામ સુવિધાપૂર્વક કરવો સંભવ નથી. અથવા આ વાતને આ પ્રમાણે સમજવી જોઈએ કે ન્યાય દર્શનમાં પ્રત્યક્ષના લક્ષણમાં ઈઢિયાર્થ સંનિકર્મને કારણ માન્યું છે. (ઈદ્રિયનો પદાર્થની સાથે સંબંધ) . જો કે આત્મા તથા મન પણ તેમાં કારણ હોય છે, તેમ છતાં તેમનું કથન ન્યાયદર્શનના સૂત્રમાં નથી કર્યું. કેમકે પ્રત્યક્ષ વગેરે બધાં જ પ્રમાણોમાં આત્મા તથા મનનું પણ સંનિકર્ષ રહે છે. પરંતુ પ્રત્યક્ષમાં ઈદ્રિયાર્થ સંનિકર્પને વિશિષ્ટ કારણ માનીને જ નિર્દેશ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે યમ-નિયમોનાં અનુષ્ઠાન તો યોગનાં બધાં જ અંગોમાં જરૂરી છે. પરંતુ પ્રાણાયામ કરવામાં આસનની વિશેષ અપેક્ષા હોવાથી સૂત્રકારે તામતિ કહીને આસન પર વિશેષ બળ આપ્યું છે. આ સૂત્રમાં પ્રાણાયામનું સામાન્ય લક્ષણ કહેવામાં આવ્યું છે. તેમના ભેદોનું કથન આગળનાં બે સૂત્રો (૨/૫૦-૫૧)માં કરવામાં આવશે. આસનની સિદ્ધિ થતાં શ્વાસ-પ્રશ્વાસની ગતિને રોકવી પ્રાણાયામ કહેવાય છે. એ શ્વાસ-પ્રશ્વાસ જીવનભર નિયમિતરૂપથી જો કે ચાલતા રહે છે, સૂતી વખતે પણ તેમનું કાર્ય અવરુદ્ધ (બંધ) નથી થતું, પરંતુ એવા સ્વાભાવિક પ્રાણનું જવું-આવવું પ્રાણાયામ નથી. પ્રાણાયામ ત્યારે થાય છે કે જયારે શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિને કેટલાક વખત માટે રોકવામાં આવે. પ્રાણને અંદર રોકવો, બહાર રોકવો, અથવા વચ્ચે રોકી રાખવો વગેરે સમસ્ત પ્રાણોનો સાધન પાદ ૨૧૯ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy