SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વસ્થ તથા નીરોગી મનુષ્ય જ કરી શકે છે. તો પછી તપથી કાયસિદ્ધિનો અભિપ્રાય શું છે? તેનો જવાબ વ્યાસ-ભાયમાં “અણિમા, લધિમા, ગરિમા આદિ સિદ્ધિ કહીને કર્યો છે. અને એ સિદ્ધિઓ શારીરિક કદાપિ નથી. આ વિષયમાં યોગીરાજ મહર્ષિ દયાનંદની વ્યાખ્યા આ પ્રકારે છે - અણિમા આદિ વિભૂતિઓ છે, એ યોગીના ચિત્તમાં પેદા થાય છે. સાંસારિક લોકો જે એમ માને છે કે એ યોગીના શરીરમાં પેદા થાય છે, એ યોગ્ય નથી. અણિમાનો અર્થ એ છે કે (યોગીનું ચિત્ત) નાનામાં નાની વસ્તુને વિશેષ સૂક્ષ્મ થઈને માપનારૂં થાય છે. તે જ પ્રકારે મોટામાં મોટા પદાર્થને વિશેષતર મોટું થઈને યોગીનું મન ઘેરી લે છે. એને ગરિમા કહે છે. એ મનના ધર્મ છે, શરીરમાં તેની શક્તિ નથી”. (ઉપદેશ મંજરી, ૧૧મો ઉપદેશ) આ જ પ્રકારે કાયસિદ્ધિની માફક ઈદ્રિયસિદ્ધિને પણ સમજવી જોઈએ. “ઈદ્રિય સિદ્ધિથી અભિપ્રાય નેત્ર વગરનાને નેત્ર પ્રાપ્તિ આદિ નથી. આપણને શરીરમાં જે નેત્ર આદિ ગોલક દેખાય છે, યથાર્થમાં એ ઈદ્રિય શક્તિના એવા જ પ્રકાશક હોય છે, જેમ વીજળીનો બલ્બ વીજળીનો પ્રકાશક હોય છે, યથાર્થમાં ઈદ્રિયો પણ મનની જેમ સૂક્ષ્મ-શરીરના ઘટક છે, જેવું કે મહર્ષિ દયાનંદે લખ્યું છે – પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ સૂક્ષ્મભૂત, અને મન તથા બુદ્ધિ, આ સત્તર (૧૭) તત્ત્વોનો સમુદાય સૂક્ષ્મ-શરીર કહેવાય છે. એ સૂક્ષ્મ-શરીર જન્મ-મરણ વગેરેમાં પણ જીવની સાથે રહે છે” | (સ. પ્ર. નવમો સમુલ્લાસ) માટે ઈદ્રિય સિદ્ધિથી અભિપ્રાય ઈદ્રિય-શક્તિના સમૃદ્ધ થવાથી દૂર-શ્રવણ, દૂર-દર્શન આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થવાનો છે. અને એ સિદ્ધિઓ ઈદ્રિય-શક્તિ પર જ નિર્ભર છે. જેટલું જેટલું એમનું સામર્થ્ય વધશે, તેટલી તેટલી જ સિદ્ધિ પ્રાપ્ત થશે. સૂત્રકારે ઈદ્રિય સિદ્ધિને માટે શ્રવણેન્દ્રિયનું ઉદાહરણ (યો. ૩૪૧)માં આપ્યું છે. અર્થાત્ શ્રવણેન્દ્રિય અને આકાશનો વિશેષ સંબંધ તથા સંયમના કારણે યોગીને દિવ્ય-શ્રવણ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જેનાથી યોગી આકાશસ્થ દૂરસ્થ ધ્વનિઓને સાંભળવામાં સમર્થ થઈ જાય છે. આ જ પ્રકારે ત્વચા (ચામડી)નો વાયુથી, ચક્ષુનો તેજથી, રસનાનો જળથી, ધ્રાણેન્દ્રિયનો પૃથ્વીથી વિશેષ-સંબંધ થવાથી દિવ્યસ્પર્શ, દિવ્યરૂપ, દિવ્યરસ, દિવ્ય ઘાણશક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અને ઈદ્રિય સિદ્ધિઓનો નિર્દેશ સૂત્રકારે નીચે લખેલા સૂત્રમાં પણ કર્યો છે. તતઃ પ્રતિમ-શ્રાવળ-વેનાSS-સ્વાવાર્તા ગાયત્તે (યો. ૩/૩૬) અર્થાત્ આત્મ-સંયમના દ્વારા પ્રતિભ = માનસિક શક્તિ, જેનાથી દૂર રહેલી, સૂક્ષ્મ અને છુપાયેલી (વ્યવહિત) વસ્તુને જાણી શકે છે, શ્રાવણ = શ્રવણેન્દ્રિય-શક્તિ જેનાથી દૂરના તથા સૂક્ષ્મ અવાજો (ધ્વનિઓ)ને સાંભળી શકે છે. વેદના = ત્વક ઈદ્રિય શક્તિ, જેનાથી સૂક્ષ્મ દિવ્ય સ્પર્શ કરી શકે છે, આદર્શ નેત્ર ઈદ્રિય શક્તિ, જેનાથી સૂક્ષ્મ, ૨૧૨ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy