SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુમોદિત હિંસા એટલા માટે કરવામાં આવે છે કે તે દ્વારા મારી સ્ત્રી, અથવા કોઈ બીજા પ્રિયજનનો સ્વાર્થ સિદ્ધ થવાથી મારો ધર્મ = કર્તવ્ય પૂરો થશે. આ લોભ, ક્રોધ અને મોહ પણ ત્રણ પ્રકારના હોય છે – મૃદુ= હલકા, મધ્ય = મધ્યમસ્તરના અને માત્ર =અત્યંત પ્રબળ. આ પ્રકારે હિંસાના ૨૭ ભેદ થાય છે. ફરી આ મૂદુ, મધ્ય, અધિમાત્ર પણ ત્રણ પ્રકારના હોય છે. જેમ કે મૃદુ-મૃદુ થોડા હલકા, મધ્યમૃદ્ર = મધ્ય સ્તરના હલકા, તીવમૃદુ = અત્યંત હલકા. તે જ રીતે મૃHધ્ય= થોડા મધ્ય કોટિના, મધ્યમધ્ય =તેનાથી વધારે મધ્ય કોટિના, તીવધ્ય= અત્યંત મધ્યમ કોટિના. તે જ રીતે -મૃદુતવ= હલકા પ્રબળ, મધ્યતવ= મધ્ય સ્તરના પ્રબળ, ધાત્રતીવ્ર =અત્યંત પ્રબળ. આ પ્રકારે હિંસાના (૮૧) એક્યાસી ભેદ થાય છે. આ ૮૧ ભેદોવાળી હિંસા, ફરી પછી નિયમ, વિકલ્પ અને સમુચ્ચય ભેદથી માં6ય = ગણના ન કરવા યોગ્ય ભેદોવાળી થઈ જાય છે. કેમ કે નિયમ, વિકલ્પ અને સમુચ્ચય ભેદોને કરનારા પ્રાણીઓના ભેદ અસંખ્ય છે. આ જ પ્રકારે = હિંસાની માફક બીજા અમૃત (જુઠું) વગેરે વિતર્કોમાં પણ ભેદ સમજવા જોઈએ. એ બધા જ વિતર્કનિશ્ચયથી દુઃખરૂપ તથા અજ્ઞાનરૂપ અનંત ફળ આપનારા છે. આ પ્રકારે પ્રતિપક્ષ = વિતર્ક-વિરોધી ભાવના કરવી જોઈએ. ભાપ્રકારે "સુરવાજ્ઞાનાન્તના સમસ્ત પદનો વિગ્રહ - ‘દુઃવન્મજ્ઞાનં વાનસ્તે નં પતિ પ્રતિપક્ષમાવન” કરીને બીજી વખત સ્પષ્ટીકરણ કર્યું છે. (હિંસા આદિ વિતર્કોની દુઃખમૂલકતાનું વર્ણન) - કેમ કે હિંસક સર્વ પ્રથમ વધ્ય = જેનો વધ કરવાનો છે, તે પ્રાણીના વીર્યસામર્થ્યને મક્ષિતિ= રોકે છે. અર્થાત્ પગ વગેરે બાંધીને પ્રાણીના બળને સમાપ્ત કરે છે. ત્યાર પછી શસ્ત્ર આદિથી વધ્ય પ્રાણીના શરીર પર પ્રહાર કરીને દુઃખ આપે છે - ઘણી જ પીડા પહોંચાડે છે. ત્યારપછી વધ્ય પ્રાણીને જીવનથી પણ અલગ કરી દે છે. ત્યાર પછી એ મરેલાનું બળ ક્ષીણ થવાથી તેનાં વેતન = પુત્ર, પત્ની, મિત્ર, બંધુ આદિ અને અવેતન=ધન વગેરે શક્તિઓ, બંને પ્રકારનાં ઉપકરણો સાધન=સહાયક ક્ષણવાર્ય (તની હિંસાના દોષથી) ક્ષીણવીર્ય નિસ્તેજ=પ્રભાવહીન થઈ જાય છે. અને પ્રાણીઓના વધ આદિના ફળ સ્વરૂપદુઃખ આપવાથી હિંસક પુરુષ નર=અતિશયદુઃખ આપનારી તિર્થવ = પશુ, પક્ષી, આદિ અને મનુષ્ય આદિ યોનિઓમાં દુઃખ ભોગવે છે. (કવિતવ્યપરોપI) વધ્ય પ્રાણીના જીવનને નાશ કરવાના ફળસ્વરૂપ પ્રતિક્ષણ કવિતા = જીવનનાશ= આત્મહત્યાને માટે પ્રયત્ન કરતો, મરવા ઇચ્છતો હોવા છતાં પણ દુઃખરૂપવિપાક ફળનું નિયત હોવાથી કોઈ રીતે શ્વાસમાત્ર લઈને જીવતો રહે છે. અર્થાત ઘણાં જ કષ્ટથી જીવન વિતાવે છે અને કોઈ પ્રકારની હિંસા કોઈક પુણ્યકર્મના કાવાવ = બીજની અંતર્ગત થઈ જાય, તો પુણ્યકર્મના કારણે સુખ પ્રાપ્તિમાં પણ અલ્પાયુ = આયુષ્ય ઓછું થઈ જાય છે. અર્થાત્ તો પણ હિંસાનું ફળ અવશ્ય જ સાધન પાદ ૧૯૯ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy