SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવામાં આવશે. એ યોગાંગોનું અનુષ્ઠાન = નિરંતર સેવન કરવાથી = અભ્યાસ કરવાથી અશુદ્ધિરૂપ પાંચ ભાગવાળા (અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ) વિપર્યય (hશો) = મિથ્યાજ્ઞાનનો નાશ થઈ જાય છે અને એ મિથ્યાજ્ઞાનરૂપી અશુદ્ધિ ક્ષીણ થઈ જતાં સથાન = તત્ત્વજ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. જેમ જેમ યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવામાં આવે છે, તેમ તેમ અશુદ્ધિ સૂક્ષ્મત્વને પ્રાપ્ત થાય છે અને જેમ જેમ અશુદ્ધિનો ક્ષય થાય છે તેમ તેમ ક્ષયના ક્રમનું અનુસરણ કરનારી જ્ઞાનની દીપ્તિ પણ વધતી જાય છે. અને આ જ્ઞાનની વૃદ્ધિ વિવેકખ્યાતિ પર્યત ઉન્નત જ થતી રહે છે. વિવેકખ્યાતિનો અભિપ્રાય છે = માધુપુરુષસ્વરૂપવિજ્ઞાનાત્ સત્ત્વ આદિ ગુણો તથા પુરુષના ભિન્ન ભિન્ન સ્વરૂપનું જ્ઞાન થતાં સુધી જ્ઞાનની વૃદ્ધિ થતી રહેતી હોય છે. યોગનાં યમનિયમ આદિ અંગોનું અનુષ્ઠાન કરવું એ અશુદ્ધિનો વિયોગ = દૂર કરવાનું કારણ છે. જેમ - પરશુ = કુહાડો કાપેલા લાકડાં આદિને પૃથફ કરવાનું કારણ હોય છે. અને આ યોગાંગોનું અનુષ્ઠાન વિવેકખ્યાતિને પ્રાપ્ત કરવાનું એવું જ કારણ છે. જેમ- સુખ પ્રાપ્તિનું કારણ ધર્મ છે. વિવેકખ્યાતિ પ્રાપ્તિનું યોગાંગોથી બીજું કોઈ કારણ નથી. અથવા “નાન્યથા રજૂ થી ભાપ્રકારનો એ વિશેપ આશય છે કે જેમ - ઘટઆદિબનાવવામાં કુંભાર નિમિત્ત, માટી ઉપાદાન તથા ચક્ર (ચાક, ઠંડો વગેરે) આદિ સાધારણ કારણ છે, પરંતુ રામ = ગધેડું જેનાથી માટી લવાઈ છે, તે અન્યથા સિદ્ધ થાય છે અર્થાત્ માટી લાવવા માટે ગાડી, ગાડું આદિ બીજો પણ ઉપાય હોઈ શકે છે. એ જ પ્રકારે વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં યોગાંગાનુષ્ઠાન અન્યથા કારણ નથી, બલ્ક અપરિહાર્ય કારણ છે. [કારણ કેટલાં છે? શાસ્ત્રમાં આ કેટલાં કારણ હોય છે? આનો ઉત્તર આપીએ છીએ – વૈવ=નવ જ કારણ હોય છે. જેમ કે – उत्पत्तिस्थित्यभिव्यक्तिविकारप्रत्ययाप्तय : । વિયો ન્યત્વવૃત વાર નવધા મૃતમ ઉતા અર્થાતુ ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિયોગ, અન્યત્વ અને ધૃતિ, આ નવ પ્રકારનાં કારણ કહ્યાં છે (તેમની ક્રમવાર વ્યાખ્યા આ પ્રકારે છે) – (૧) (તત્રોત્પત્તિર કો) વિજ્ઞાનની ઉત્પત્તિનું કારણ મન છે. (૨) (ચ્છિતાર મનસ ) મનની સ્થિતિ (સ્થિરતા)નું કારણ પુરુષાર્થતા = ભોગ-અપવર્ગરૂપ પુરુષના (અર્થ) પ્રયોજનને સિદ્ધ કરવાનું છે. જેમ - શરીરની સ્થિતિનું કારણ ભોજન છે. (૩) (મિવિતરV યથા.) જેમ - રૂપની અભિવ્યક્તિનું કારણ માનો = પ્રકાશ છે, તે જ રીતે રૂપનું – જ્ઞાન પણ – કારણ છે. (૪) (વારા મનો) મનના વિકારનું કારણ છે – વિષયાન્તર = જુદા જુદા ૧૮૨ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy