SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા દ્રવ્ય છે અને તેને શાસ્ત્રોમાં ક્રિયાગુણવાળો માન્યો છે. માટે અહીં “નતિ પ્રતિસં=સંગો વિષષ થી તે અનુસાર “નિર્લેપ” અર્થની જ સંગતિ યોગ્ય છે. तदर्थ एव दृश्यस्याऽऽत्मा ॥२१॥ સૂત્રાર્થ - (દૃશ્યાત્મ (યો. ૨/૧૮ તથા ૨/૧૯) સૂત્રોમાં વ્યાખ્યાત દૃશ્ય પ્રધાન શબ્દવાચ્ય ત્રિગુણાત્મક પ્રકૃતિનું માત્મા = સ્વરૂપ તિર્થ વ) દ્રષ્ટા પુરુપનું પ્રયોજન=ભોગ-અપવર્ગ સાધવા માટે જ છે. ભાખ-અનુવાદ - આ દ્રશ્ય = ત્રિગુણાત્મક પ્રકૃતિનું કાર્યરૂપ જગત પ્રશિપ = દ્રષ્ટા ચેતન આત્માની કર્મરૂપતાને પ્રાપ્ત છે અર્થાત ચેતન આત્મા ભોક્તા છે અને દશ્ય એના ભોગનો આધાર છે. અને તર્થ દ્રષ્ટા પુરુપને માટે જ =ત્રિગુણા પ્રકૃતિનું સ્વરૂપ કાર્યરૂપમાં પ્રકટ થાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં વ શબ્દ અવધારણ અર્થનો બોધ કરાવી રહ્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે દૃશ્ય=પ્રકૃતિ, દ્રષ્ટા પુરુપના પ્રયોજન (ભોગ-અપવર્ગરૂપ)ને માટે છે. તેનું બીજું કોઈ જ પ્રયોજન નથી. તેનાથી એ લોકોની મિથ્યા-માન્યતાનું ખંડન થઈ જાય છે કે જે બુદ્ધિને જ સુખ અને દુ:ખની ભોક્તા માને છે. જો ભોગ કરનારી બુદ્ધિ છે, તો આ સૂત્રનું પ્રયોજન નિરર્થક થઈ જાય છે. કેમ કે બુદ્ધિ પણ પ્રકૃતિ-જન્ય હોવાથી દશ્યનું પ્રયોજન દશ્યને માટે થવું નિરર્થક જ થઈ જશે. આ સૂત્રમાં ‘તત્ સર્વનામ પૂર્વસૂત્રમાં કહેલા દ્રષ્ટા-પુરુષનો જ પરામર્શક છે દશ્યનો નહીં અને (૨/૧૮)માં “મો પવચંદ્રન કહીને પુરુષના ભોગ-અપવર્ગને માટે જ દેશ્યનું પ્રયોજન બતાવ્યું છે. બુદ્ધિને પૂર્વ સૂત્રના ભાષ્યમાં પર થઈ કહેવાનો ભાવ પણ એ જ છે કે બુદ્ધિ પુરુષનું પ્રયોજન સિદ્ધ કરે છે, પુરુપ બુદ્ધિનું નહીં. માટે સુખ-દુઃખરૂપ બધા જ ભોગોનો ભોક્તા ચેતન ધર્મા પુરુષ છે, બુદ્ધિ નથી. ૨૧ હવે – એ દશ્ય પ્રકૃતિનું સ્વરૂપ દ્રષ્ટા પુરુપ દ્વારા પરિજ્ઞાત થતાં અને ભોગ-અપવર્ગરૂપ પુરુષાર્થના પૂરા થતાં તે દશ્ય પુરુપ દ્વારા જોવાતું નથી. એટલા માટે આ દશ્યના સ્વરૂપના નાશનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પરંતુ દશ્ય નાશ નથી પામતું, કારણ કે - कृतार्थ प्रति नष्टमप्यमनष्टं तदन्यसाधारणत्वात् ॥२२॥ સૂત્રાર્થ- દૃશ્ય)= પ્રકૃતિની કાર્યભૂત બુદ્ધિ આદિનું વૃતાર્થ) મુક્ત પુરુષને માટે પ્રયોજન સમાપ્ત થયું હોવા છતાં પણ તે પુરુષના પ્રત્યે નષ્ટfપ) નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ તેમનઈમ) દશ્ય નાશ નથી પામતું, ( તHTધારણ7ીત) કેમ કે તેનું પ્રયોજન મુક્ત પુરુષથી ભિન્ન=અમુક્ત (બદ્ધ) પુરુષો પ્રત્યે સાધારણ સ્થિતિ બની રહેવાના કારણે સાર્થક રહે છે. ભાપ્ય અનુવાદ – એક મુક્ત પુરુપના પ્રત્યે કૃતાર્થ સમાપ્ત પ્રયોજનવાળા દશ્યના નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ નાશ નથી થતું. કેમ કે પુરુષ પથારપાત્વીક સાધન પાદ ૧૬૯ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy