SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ- આ સૂત્રમાં અનાગત=ભવિષ્યમાં થનારા દુ:ખને હેયEછોડવા યોગ્ય બતાવ્યું છે. તેનું કારણ સ્પષ્ટ છે કે જે દુઃખનો ભોગ-સમય સમાપ્ત થઈ ગયો અર્થાત જે દુઃખ ભોગવાઈ ચૂક્યું અને જે દુઃખને વર્તમાનકાળમાં ભોગવી રહ્યા છીએ, તેને ત્યાજ્ય કહેવું નિરર્થક જ છે. માટે સૂત્રકારે ભાવિ-દુઃખને છોડવાનો ઉપદેશ કર્યો છે. યોગી પુરુપ તે જ દુઃખથી છૂટવાના પ્રયત્નો કર્યા કરે છે. પરંતુ સામાન્ય મનુષ્ય વિવેક વિના આવી દૂર-દર્શિતા સુધી નથી પહોંચી શકતાં. મે ૧૬ . હવે આ કારણથી જે અનાગત દુઃખને હેય = ત્યાજ્ય કહ્યું છે, તેના જ કારણનો નિર્દેશ કરવામાં આવે છે. - દ્રષ્ટિકો : સંયો ચહેતુ: Inશા સૂત્રાર્થ - (ઇ-શ્યો ) બુદ્ધિ-પ્રતિસંવેદી = ચિત્તવૃત્તિનો અનુભવ કરનારા (જ્ઞાતા અથવા ભોક્તા) પુરુપ દ્રષ્ટા છે અને દશ્ય = પુરુપ દ્વારા અનુભવ = ભોગવવા યોગ્ય પ્રકૃતિ છે. એ બંનેનું સંયો 1 ) સાંનિધ્ય હોવું દેતુ :) ત્યાગવા યોગ્ય દુઃખનું કારણ છે. ભાગ્ય-અનુવાદ-દ્રષ્ટા= ચેતન આત્માને કહે છે, કેમ કે તે જ શરીરનાં બધાં સુખ દુઃખ આદિનો દ્રષ્ટા = જ્ઞાતા, ભોક્તા છે. તેને જ 'પુરુષ' શબ્દથી પણ કહેવામાં આવે છે. એ પુરુષ વુદ્ધિ = બધા જ પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થોનો પ્રતિવેરી = અનુભવ કરનારો = ભોગ કરનારો છે. દૃશ્ય = બધા જ પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થો છે. (એમાં રૂપ, રસ, ગંધ, આદિ ગ્રાહક બાહ્ય ઈદ્રિયો અને મન વગેરે આંતરિક છે.) બધા જ રૂ૫, રસ, ગંધ આદિ પ્રકૃતિના ધર્મ, જુલ્લિ = (પદાર્થોના આકારની જેમ આકારવાળું હોવાથી) ચિત્તવૃત્તિ પર આરૂઢ= પ્રાપ્ત થઈને જ દશ્ય = જોવા યોગ્ય = જાણવા યોગ્ય અથવા ભોગવવા યોગ્ય થાય છે. આ બુદ્ધિ-સત્ત્વ = ચિત્તવૃત્તિ, અ ન્નનળ = ચુંબક સમાન નજીક હોવાથી (સંયોગ થવાથી) “ભોગનો વિષય બનવા' રૂપે ઉપકાર કરે છે. શિરૂપ= દ્રષ્ટા અથવા ભોક્તા સ્વામીરૂપ પુરુષનું દશ્ય = ભોગ્ય હોવાથી પ્રકૃતિ સ્વ મતિ = આત્મીય થઈ જાય છે. કેમ કે આ દશ્ય-પ્રકૃતિ અનુમવવિષયતામાનમઃ પુરુષના ભોગરૂપી કર્મવિષયતાને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાનાથી ભિન્ન પુરુષ = આત્માના ચેતનવત રૂપને પ્રાપ્ત થઈને સ્વતંત્રપિ = જગતની ઉપાદાનતારૂપમાં બીજા કોઈની મદદ ન લેનારી સ્વતંત્ર પ્રકૃતિ પણ પાર્થ = પુરુપના ભોગ-અપવર્ગ (મોક્ષ)ને સિદ્ધ કરવાથી પરતવત્ર= પુરુષને આધીન છે. તે બંને છી= પુરુષ અને દશ્ય = પ્રકૃતિના પુરુષાર્થને માટે અનાદિ (પ્રવાહથી) સંયો દેયદેતું: = ત્યાજ્ય = દુઃખનું કારણ છે. એવું કહ્યું પણ છે – કે (સત્યયોગહેતુવિવર્ણનાત) તે દશ્ય પ્રકૃતિના સંયોગના કારણ (અવિવેક)ને ત્યજી દેવાથી એ ટુવતીકાર: દુઃખનો નાશ આત્યંતિક થઈ જાય છે. કેમ કે દૂર કરવા યોગ્ય દુઃખના કારણને દૂર કરવાથી દુઃખનો નાશ જોવામાં આવે છે. ૧૫૬ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy