SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધનથી મુક્ત થઈ જાય છે. આ વૈદિક સત્ય માન્યતાઓનો જ આશ્રય લઈને જ દર્શનકારોએ ઈશ્વર, જીવ તથા પ્રકૃતિનાં સત્ય સ્વરૂપોને લક્ષણ, પરીક્ષા વગેરે કરીને સમજાવ્યાં છે. અને વૈદિક માર્ગને સરળ વિધિથી સમજાવીને આપણી સમક્ષ રજૂ કર્યો છે. એટલા માટે મહર્ષિ દયાનંદે વેદાંગ, ઉપાંગ તથા બ્રાહ્મણ ગ્રંથોને જ પ્રાચીન વેદ ભાપ્ય માન્યાં છે. દર્શનો વિના વેદમંત્રોની વ્યાખ્યા કરવી કદાપિ સંભવ નથી. જેમ વેદ મંત્રોમાં ‘સહસ્ત્રશીર્ષા પુરુષ: સહસ્રાક્ષ: (યજુ.) વિષયામૃતમનુતે (યજુ.)વિદ્યાખ્યાવિદ્યાન્વ (યજુ.) ‘યુઝ્ઝતે મન :’ (ઋગ્.) વગેરેમાં પઠિત પુરુષ, વિદ્યા, અવિદ્યા, મન વગેરે શબ્દોની પરિભાષા દર્શનોમાં જ મળેછે. પરમાત્માનાં સાચા સ્વરૂપનો બોધ તો દર્શનોની વ્યાખ્યા વિના સમજી જ નથી શકાતો. વેદોક્ત ‘અાયન્ ‘શુદ્ધત્ ‘અપાવિન્દ્વમ્' વગેરે પરમેશ્વરને માટે વપરાયેલાં પદોની વ્યાખ્યા જ યોગદર્શનમાં કલેશ, કર્મ, વિપાકાશયથી રહિત પુરુષવિશેપ કહીને કરી છે. વૈશેપિકદર્શનમાં દ્રવ્ય વગેરે પદાર્થોના સાધર્મ-વૈધર્મનું કથન કર્યું છે. તે પણ વેદની રિતિ=ખંડીકરણ-વિશ્લેષણ અને અિિત= અખંડીકરણ=સંશ્લેષણ અથવા વિત્તિમવિત્તિ વિનવત્ વિદ્વાન્ (ઋ. ૪/૨/૧૧) ચિતિ=જ્ઞાન, અચિતિ=અજ્ઞાનનું સામાન્ય-વિશેષરૂપથી વિશ્લેષણ કર્યુછે. સાંખ્યદર્શનમાં સત્કાર્યવાદનો સિદ્ધાંત ૠગ્વેદના નાસદીય સૂક્તમાં પઠિત સત તથા અસત પદોની જ વ્યાખ્યા છે. ન્યાયદર્શનમાં પ્રમાણ, પ્રમેય, તર્ક વગેરેનું વિશેષ કથન કરવામાં આવ્યું છે. પ્રમાણોથી જ પદાર્થોની પરીક્ષા કરવાને ન્યાય માન્યો છે. તર્કને વેદમાં ન્હ’ શબ્દથી કહેવામાં આવ્યો છે. પ્રમેયાંતર્ગત આત્મા, મન, શરીર વગેરેનું મંત્રોમાં પર્યાપ્ત વર્ણન મળે છે. મીમાંસાદર્શનમાં - વૈદિક - યજ્ઞોની વ્યાખ્યા કરી છે. વેદ-મંત્રોમાં યજ્ઞ, યજમાન, આહવનીય, ગાર્હપત્ય વગેરેનું વર્ણન મળે છે. સત્યા : સન્તુ યજ્ઞમાનસ્ય મા :’વગેરે મંત્રોમાં યજ્ઞકર્તાની શુભાશંસા, અને ‘ૠનાં હ્તા પોષમાસ્તે પુપુષ્વાન્ ગાયત્ર ત્યાં ગાયતિ શવવરીજુ વગેરે મંત્રોમાં યજ્ઞના હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ તથા બ્રહ્મા ચારેય હોતાઓનાં વર્ણન મળે છે. વેદાન્ત દર્શનમાં વેદ પ્રતિપાદિત સિદ્ધાંતોની જ વ્યાખ્યા કરી છે. એમાં બ્રહ્મને વેદો તથા સૃષ્ટિની ઉત્પત્યાદિનું કારણ માન્યું છે. વેદમાં કહ્યું છે ‘તસ્માત્ યજ્ઞાત્ સર્વદુત ૠષ : સામાનિ શિરે (યજુ. ૩૧/૭) યં વિસૃષ્ટિયંત आबभूव.. ..યો અધ્યાધ્યક્ષ : ' (ઋ. ૧૦/૧૨૯/૭) ઇત્યાદિ મંત્રોમાં પરમેશ્વરને સૃષ્ટિનો કર્તા, નિયંતા તથા વેદજ્ઞાનને આપનારો કહ્યો છે. સપૂરે તદન્તિકે (યજુ.) વગેરે મંત્રોમાં પરમેશ્વરનું અજ્ઞાનવશ જ દૂરત્વ અને જ્ઞાનથી જ સમીપતા અથવા પ્રાપ્તિ કહી છે. આ જ માન્યતાઓનું વિસ્તૃત વ્યાખ્યાન યોગ તથા વેદાન્ત દર્શનમાં કરવામાં આવ્યું છે. જેનાથી સ્પષ્ટ છે કે દર્શનશાસ્ત્રો સમસ્ત વૈદિક-માન્યતાઓનું જ પ્રતિપાદન કરે છે. વેદોમાં જે વાતો બીજરૂપમાં કહી છે, તેમનું જ દર્શનકારોએ વિસ્તારથી પરીક્ષા કરીને તથા લક્ષણ સહિત વ્યાખ્યાન કર્યુ છે. ' પ્રાક્મથન For Private and Personal Use Only ૯
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy