SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજો વિચારણીય વિકલ્પ એ છે કે – શું અનેક કર્મ અનેક જન્મોને સિદ્ધ કરે છે? અથવા અનેક કર્મ એક જન્મને સિદ્ધ કરે છે? (ઉત્તર) એક કર્મ એક જન્મનું કારણ નથી, કેમ કે અનાદિકાળથી પશ્વિત = એકઠા થયેલાં અસંખ્ય અવશિષ્ટ કર્મોનું અને વર્તમાનમાં કરેલાં કર્મોનાં ફળક્રમનો નિયમ ન રહેવાથી (તે કર્મોનું ફળ ક્રમશઃ ન મળવાથી) મનુષ્યોને અનાશ્વા: = અસંતોષ પ્રાપ્ત થશે (=સારાં કર્મનું સારૂં ફળ અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે. આ સિદ્ધાન્તમાં વિશ્વાસમાં નહી રહે) અને આ અસંતોષ (સત્કર્મોમાં પ્રવૃત્તિનો વિરોધી હોવાથી) અનિષ્ટકારક છે. અને એક કર્મ અનેક જન્મોનું કારણ પણ નથી હોઈ શકતું કેમ કે જો અનેક કર્મોમાં એક એક કર્મ અનેક જન્મનું કારણ છે તો બાકીનાં કર્મોનો વિપત = ફળ આપવાનાં કાળનો અભાવ થઈ જશે. તે પણ અનિષ્ટકારક પહેલાંની જેમ થશે. અને અનેક કર્મ પણ અનેક જન્મોનું કારણ નથી હોઈ શકતાં કારણ કે (અનેક કર્મોથી ઉત્પન્ન થનારા) અનેક જન્મ એક સાથે પ્રાપ્ત નથી થઈ શકતા. એટલા માટે ક્રમથી જ કહેવું જોઈએ. અર્થાત એક કર્મથી એક જન્મ,બીજા કર્મથી બીજો જન્મ, ત્રીજા કર્મથી ત્રીજો જન્મ વગરે..તો એમાં પણ પૂર્વવત (પહેલાની જેમ જ) દીપ પ્રાપ્ત થાય છે. અર્થાત જન્મ-જન્માંતરોનાં અસંખ્ય અવિશિષ્ટ કર્મોના ફળ પ્રાપ્ત કરવાનો નિયમ નહીં રહે અને અસંતોષ પેદા થશે. એટલા માટે (સિદ્ધાન્ત પક્ષ એ છે કે) જન્મ અને પ્રયળ = મૃત્યુની વચમાં, જે પુન્ય = ધર્મ અને અપુષ્ય = અધર્મરૂપી વિચિત્ર કર્ભાશય સંગ્રહ કરાય છે, તે બધાં પ્રધાન = મુખ્યરૂપમાં અથવા ૩પસન = ગૌણ ભાવથી સ્થિત રહે છે અને કયું કર્મ પ્રધાન = ફલોન્મુખ થવામાં મુખ્ય છે અને કયું નૌન = પ્રબળ ન હોવાથી દબાયેલા જેવું છે? તેની પ્રાથમિળ્યવતઃ = અભિવ્યકિત, મૃત્યુથી = મૃત્યુના પ્રકારથી થાય છે. અને તે સમસ્ત પ્રધાન ગૌણભાવથી રહેલાં કર્માશય પ્રપટ્ટનેન = એક ગટ્ટાના રૂપમાં મળીને ફલોન્મુખ થવાને માટે જીવને મૃત્યુની પછી મૂછિત = ક્રિયાશીલ થઈને એક જ જન્મને આપે છે, અનેક નહીં. અને તે જન્મ તે જ કર્મથી નશ્વાયુન્ = પ્રાપ્ત આયુષ્યવાળા = પ્રાપ્તજીવનવાળું હોય છે. અને જન્મના જીવન કાળમાં તે જ કર્મથી = જન્મ આપનારાં કર્મથી પો = સુખ-દુઃખ આદિનો ભોગ સંપન્ન (સિદ્ધ=મળ) થાય છે. તે = કર્મ સમૂહ જન્મ, આયુ (આયુષ્ય) તથા ભોગનો હેતુ= કારણ હોવાથી ત્રિવિપા = ત્રણ પ્રકારનાં ફળોવાળું કહેવાય છે. એટલા માટે વ = શ્વાસી વ: શિયા) વિપરૂપે તિતિ = વિવિI) એક જન્મવાળું કહેવાય છે. - ૬૪ -નવેદયત્વ અને વર્તમાન જન્મમાં સંચિત કર્ભાશય વિપરિધ્ધીફક્ત એક વિપાક=ફળ ભોગ)ને આપનારું હોય છે. ભોગનો હેતુ (કારણ) હોવાથી અથવા દિવિવારથી બે વિપાકો= ફળો(આયુ અને ભોગ)ને આપનારાં હોય છે. ૧૪૦ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy