SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારણ, ક્રિયા, ક્રિયાવાન, ગુણ, ગુણી અને ધર્મ-ધમી છે, આ નિત્ય પદાર્થોનો પરસ્પર સંબંધ છે, એમાં અનિત્ય બુદ્ધિ હોવી એ અવિદ્યાનો પ્રથમ ભાગ છે. તથા (અશુચિ) મળમૂત્ર આદિનો સમુદાય દુર્ગધરૂપ મળથી પરિપૂર્ણ શરીરમાં પવિત્ર બુદ્ધિ કરવી (રાખવી) (પવિત્ર જાણવું-માનવું) તથા તળાવ, વાવ, કુંડ, કૂવા અને નદીમાં તીર્થ અને પાપ છોડવવાની બુદ્ધિ કરવી (જાણવું) અને તેમનું ચરણામૃત પીવું, એકાદશી આદિ મિથ્યા વ્રતોમાં ભૂખ-તરસ આદિ દુઃખોને સહન કરવાં, સ્પર્શ-ઈદ્રિયના ભોગમાં અત્યંત પ્રીતિ કરવી (રાખવી) ઈત્યાદિ અશુદ્ધ પદાર્થોને શુદ્ધ માનવા અને સત્ય વિદ્યા, સત્યભાપણ, ધર્મ, સત્સંગ, પરમેશ્વરની ઉપાસના (ભક્તિ) જિતેન્દ્રિયતા, સર્વ ઉપર ઉપકાર કરવો, બધા પ્રત્યે પ્રેમભાવથી વર્તવું આદિ શુદ્ધ વ્યવહાર અને પદાર્થોમાં અપવિત્ર બુદ્ધિ કરવી, એ અવિદ્યાનો બીજો ભાગ છે. તથા દુઃખમાં સુખ બુદ્ધિ અર્થાત્ વિષય તુણા, કામ, ક્રોધ, લોભ, મોહ, શોક, ઈર્ષા, દ્વેષ આદિ દુ:ખરૂપ વ્યવહારોમાં સુખ મળવાની આશા રાખવી, જિતેન્દ્રિયતા, નિષ્કામ, શમ, સંતાપ, વિવેક, પ્રસન્નતા, પ્રેમ, મિત્રતા, આદિ સુખરૂપ વ્યવહારોમાં દુ:ખ બુદ્ધિ કરવી (રાખવી) એ અવિદ્યાનો ત્રીજો ભાગ છે. એ જ પ્રકારે અનાત્મામાં આત્મ બુદ્ધિ, અર્થાત્ જડમાં ચેતન ભાવ અને ચેતનમાં જડ ભાવના કરવી અવિદ્યાનો ચોથો ભાગ છે. આ ચાર પ્રકારની અવિદ્યા સંસારના અજ્ઞાની જીવોને બંધનનો હેતુ હોતાં (થતાં) તેમને સદા નચાવતી રહે છે. પરંતુ વિદ્યા અર્થાત્ પૂર્વોક્ત અનિત્ય, અશુદ્ધિ, દુઃખ, અને અનાત્મામાં ક્રમશઃ અનિત્ય, અપવિત્રતા, દુ:ખ અને અનાત્મ બુદ્ધિનું હોવું તથા નિત્ય, શુચિ, સુખ અને આત્મામાં ક્રમશ: નિત્ય, પવિત્રતા, સુખ, અને આત્મબુદ્ધિ રાખવી એ ચાર પ્રકારની વિદ્યા છે. જયારે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય છે, ત્યારે બંધનથી છૂટીને જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે. (ઋ. ભૂ. મુક્તિવિજય) ભાપ્ય અનુવાદ – અનિત્ય કાર્ય (પદાર્થ)માં નિત્ય બુદ્ધિ કરવી અવિદ્યા છે જેમ કે દુવા પૃથ્વી= પૃથ્વી નિત્ય છે. ધુવા સતારા ઘ: = ચંદ્ર, તારા સહિત ધુલોક નિત્ય છે. અમૃતા દિવસઃ = દેવ નિત્ય છે તે જ રીતે અવિ= અપવિત્ર પરમવમત્સ = અત્યંત ધૃણિત શરીરમાં – જે શરીરને વિદ્વાન લોક એટલા માટે અપવિત્ર કહે છે કેમ કે આ શરીર સ્થાનથી = મૂત્ર આદિથી લિંપાયેલી (વીટળાયેલી) યોનિ તેમ જ ગર્ભાશયથી ઉત્પન્ન થવાથી, બીજથી = માતાપિતાના રજ-વીર્યથી પેદા થવાથી ૩પષ્ટN = શરીરનો આધાર લોહી, માંસ આદિનો પિંડ હોવાથી નિઃ ચન્દ્ર = શરીરમાં રહેલાં નેત્ર, નાસિકા આદિ છિદ્રોથી મલસ્ત્રાવ થવાથી નિધન = મર્યા પછી શરીરનું વ = મડદું થવાથી = આધેય-શવત્વત્ = સ્નાન આદિની સદાય અપેક્ષા હોવાથી અપવિત્ર છે. આ પ્રકારે અપવિત્ર (દહ આદિ)માં પવિત્ર બુદ્ધિદેખાય છે. (જેમ કે સી-શરીરના વિષયમાં લોકો આ પ્રકારે કલ્પના કરે છે.) આ મનાવ = મનોહર કન્યા, ચંદ્રમાની નવી કળા જેવી છે. મધુર અમૃતના અંશોથી જાણે કે બનેલી છે, અને એવું લાગે છે ૧૨૮ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy