SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિ વર્ષની ભાવના કરે, (અને અપુણ્યાત્માઓ = પાપ કરનારાં પ્રતિ ઉપેક્ષા = ઉદાસીનતાની ભાવના કરે. આ પ્રકારે ભાવના કરતાં આ ઉપાસકના આત્મામાં શુક્સ વર્ષ: = સત્યધર્મનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને આ સત્ય ધર્મના પ્રકાશથી ત્તિ પ્રસન= નિર્મળ = રાગ આદિથી રહિત શુદ્ધ થઈ જાય છે. પ્રસન= શુદ્ધ થયેલું ચિત્ત એકાગ્ર થઈને સ્થિર થઈ જાય છે. ભાવાર્થ-મનુષ્યોની જેમ યોગી પણ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહેતાં સુખી, દુઃખી, પુણ્યાત્મા, પાપાત્મા, મિત્ર તથા શત્રુ આદિ બધાં પ્રકારનાં મનુષ્યો સાથે સંપર્ક થતો રહે છે. સામાન્ય મનુષ્યોમાં એ પ્રવૃત્તિ જોવામાં આવે છે કે તે અનુકૂળ વ્યક્તિઓ સાથે રાગ, પ્રતિકૂળ વ્યક્તિઓ સાથે દ્વેષ, સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા, દુઃખી વ્યક્તિને જોઈને ધૃણાભાવ આદિ કરતા રહે છે. આ બધી જ રાગ આદિ યુક્ત ભાવનાઓ ચિત્તને વિક્ષિપ્ત તથા મલિન કરનારી હોય છે. માટે યોગાભ્યાસીએ તેમનાથી બચવું જોઈએ. યોગીનો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેનું દિગ્દર્શન આ સૂત્રમાં કરાવ્યું છે. અર્થાત્ સંસારમાં જે સુખી પ્રાણીઓ છે, યોગી તેમની સાથે ઈર્ષા ન કરતાં, મિત્ર ભાવના રાખે, દુઃખી પ્રાણીઓ સાથે ધૃણા ન કરતાં કરૂણા દયાની ભાવના રાખે, તેમના પ્રત્યે હાર્દિક સહાનુભૂતિની ભાવના હંમેશાં રાખે કેમ કે તેમના દુ:ખને દૂર કરવાનો ઉપાય કરવાથી અથવા સન્માર્ગ બતાવવાથી ચિત્તમાં શાન્તિભાવ બનેલો રહે છે અને એ જ પ્રમાણે જે પુણ્યાત્માઓ છે, તેમના પ્રતિ હર્ષભાવના તથા પાપાત્માઓ પ્રતિ ઉપેક્ષા ભાવ હંમેશાં રાખે. જે પાપી વ્યક્તિઓ હોય છે, તેમને સન્માર્ગ પર ચાલવાની વાત કરવી તો જોઈએ પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ શત્રુતાવશ બાધક ન બની જાય. આ પ્રકારનો લૌકિક વ્યવહાર કરવાથી યોગીનું ચિત્ત સ્વચ્છ તથા શાન્ત રહે છે અને એકાગ્રતા અથવા સંપ્રજ્ઞાત-યોગને પ્રાપ્ત કરવામાં આ વ્યવહાર ઘણો જ સહાયક થાય છે. ૩૩ નોંધ - “પરિકર્મ' શબ્દનો અહીં ભાવ એ છે કે સમાધિને યોગ્ય બનાવવા, ચિત્તને સ્થિર કરવા અને તેના પરિશોધનને માટે જે ઉપાયો કહ્યા છે તેમને “પરિકર્મ' શબ્દથી કહ્યા છે. प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥३४॥ સૂત્રાર્થ-(પ્રચ્છન) જેમ ભોજન પછી કોઈ પ્રકારથી વમન (ઊલટી) થઈ જાય છે, તેવી જ રીતે અંદરના વાયુને બહાર કાઢીને સુખપૂર્વક જેટલો વખત રાખી શકાય તેટલો વખત બહાર જ રોકી રાખવો, પછી ધીરે ધીરે અંદર લઈને ફરીથી એ જ પ્રમાણે કરવું. આ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી પ્રાણ ઉપાસકના વશમાં થઈ જાય છે. અને પ્રાણના સ્થિર થતાં, મન સ્થિર થતાં આત્મા પણ સ્થિર થઈ જાય છે. આ ત્રણેયના સ્થિર થવાની વખતે પોતાના આત્માની વચ્ચે જે આનંદ સ્વરૂપ અંતર્યામી વ્યાપક પરમેશ્વર છે, તેમના સ્વરૂપમાં મગ્ન થઈ જવું જોઈએ. યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy