SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * 8* આ લક્ષણ આ કાવ્યને મહદંશે લાગુ પડે છે. જૈન મહર્ષિઓ ભૌતિકવાસનાઓથી પરે હોઈને, તેમની કાવ્યરચનાનો હેતુ લોકરંજન ન રહેતાં, લોકશિક્ષણ અને પ્રભુસ્તુતિ દ્વારા પ્રાપ્ત થતો નિજાનન્દ છે. જૈનસાહિત્યની વિશાળતર રચનાઓને ‘પ્રચારલક્ષી '] કહેનારાં વાસ્તવિક નથી. સત્ય, અહિંસા, નીતિ અને સદાચારનાં ઉપદેશોને જે કેવલ પ્રચારજ કહેવામાં આવશે તે સાહિત્ય દ્વારા થતું લોકઘડતર નિરર્થક બનશે. કોઈ પણ ગ્રન્થકારને પોતાનું કથયિતવ્ય તો રહેવાનું જ પોતાનાં એ કથયિતવ્યને બિરદાવવામાં પોતાની તમામ શક્તિનો ઉપયોગ સ્વસર્જનમાં કર્યા વિના, કોઈ સર્જક રહી શકે નહિ. આ ન્યાયે તો જગતભરનાં |તમામ શિયળ્યો “પ્રચારલક્ષી’ એવા આક્ષેપનો ભોગ બન્યા વિના નહિ રહે. આ રીતે જગતસાહિત્યના ઉત્કૃષ્ટ વન્થોનો અનાદર | અન્યોન્ય થતો જ રહે તો, સાહિત્ય દ્વારા થતી મહાન નિષ્પત્તિને ગુમાવ્યા વિના છૂટકો જ નથી. સામાન્ય રીતે, ચરિત્રથાનાં વર્ણનોમાં, અલંકારોને ઉપયોગ કરવો અતિ કઠિન હોય છે, તેમ છતાં આ ગ્રન્થના વિદ્વાન કર્તાએ અનેક સ્થલએ ઉપમા, અન્યોક્તિ, અનુપ્રાસ, વક્રોક્તિ, વિરોધાભાસ ઈત્યાદિ શબ્દાવકારી અને અર્થાલંકારોનો ઉપયોગ કરી, વિશિષ્ટ કાવ્યગ્રન્થનું નિર્માણ કર્યું છે. ચરિત્રવર્ણનાત્મક કાવ્યસાહિત્યમાં, આ ગ્રન્થ પોતાનું માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે તેવો છે એ જરા પણ શંકાસ્પદ નથી. | ચન્થકાર શ્રીવિનયચન્દ્રસૂરિજી: પ્રસ્તુત શ્રી મુનિસુવ્રતસ્વામીચરિતના કર્તા શ્રીવિનયચન્દ્રસૂરિજી છે. આ ગ્રન્થના અન્તમાં તેમણે પોતાની પ્રશસ્તિ આપી નથી. પ્રતિસÍને “હ્યાચાર્યબીથિન સન્નચિકિત- આ મુજબ કેવલ પોતાના નામમાત્રનો જ ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત ચરિતની આદિમાં, ‘હીર્ય સામનો માંહેથરિમતિપાવનY HT=ાતમહું કમિ મુત્રતા દુઃ' મલ્લીનાથચરિત્રની રચના કરીને, કમપ્રમાણે | આવેલા સુવતચરિતને કહું છું.’ આ પ્રમાણે જણાવેલું હોવાથી, તેમના રચેલા શ્રીમલ્લીનાથચરિત્રના આધારે, ટૂંકામાં તેમનો પરિચય પ્રાપ્ત થાય છે. શ્રીમલ્લીનાથચરિત્રની પ્રશસ્તિમાં પણ પોતાની ગુરૂપરંપરા શિવાય અન્ય કશો વિશિષ્ટ ઉલ્લેખ તેમણે કર્યો નથી. XX XXXXe Ke Ko Ke Kee & A R For Private and Personal Use Only
SR No.020488
Book TitleMunisuvratswami Charitam
Original Sutra AuthorN/A
AuthorVinaychandrasuri, Vikramvijay, Bhaskarvijay, Jayantvijay
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year
Total Pages330
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy