SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુમારપાલ પ્રબંધ. મહા મેવું હોય તે આપ ગમે તે રીતે એને ખરીદ કરે. આપ કરશે તે મારે પ્રમાણ છે !' પછી જ્યારે માતાએ જણાવ્યું કે, “વત્સ, એ કરિયાણું નથી. એ તે આપણું મહારાજાધિરાજ છે.” ત્યારે તે સાંભળી શાલિભદ્રને મન ખેદ થયેકે, “અહે! હજી મારે માથે ધણું છે!” પછી તે નીચે આવ્યો એટલે રાજાએ તેને આલિંગન કર્યું, તે પણ એને કલેશ રૂપ થઈ પડયું જેમાંની શ્રેણિકની ચેલણ રાણી એક પામી નહતી તેવી ૧૬ રૂકંબલે એની ૩૨ વલ્લભાએએ પગની રજ લુછીને ખાળમાં ફેકી દીધી હતી!' એવી જ રીતે બીજા ધનાશેઠ, પૂણિયા શ્રાવક અને અભયકુમાર મંત્રી વિગેરેનાં પરાક્રમે સાંભળી કુમારપાળે મનમાં વિચાર કર્યો કે, “પૂર્વે મેળવેલું નથી, હાલ મળતું નથી અને ભવિષ્યમાં મળવાની ખાત્રી નથી તે પણ વાંછા માત્ર પરિગ્રહ છેડવાને અમે શક્તિમાન થતા નથી. માટે ધન્ય છે તે નિર્મળ બુદ્ધિવાળા બ્રહ્મજ્ઞાનીઓને, જેઓ એકાંત નિઃસ્પૃહ થઈ વારંવાર ભગવાય તેવા પરિગ્રહને ત્યાગ કરે છે. વિષયો ચિરકાળ વાસ કરીને પણ અવશ્ય જવાના. ત્યારે તે વિચાગમાં શે ભેદ છે જે પુરૂષ એમને પિતાનીમેળે નથી છેડતા ? વિષને તેમને આપથી જવા દેવાથી મનને પરિતાપ થાય છે અને આપણું મેળે તેમને છોડાવાથી તે અનંત શાંત સુખને અનુભવ થાય છે. પછી ત્યાં નજીકના વિભાર પર્વત પર ચડા અને શ્રી મહાવીર સ્વામીના સમવસરણની ભૂમિ તથા શાલિભદ્રના દિપિપગમ અનશનની શિલા વિગેરે જોઈને ચિંતવન કર્યું કે, “અહે! જેઓ હિમાચલના શિખર જેવા સુંદર પ્રાસાદમાં દેવાંગ- નાઓએ શણગારેલા પલંગમાં સૂતા હતા તેઓએ અહીં જ્ઞાન જતિનો પ્રકાશ થવાથી ભૂમિની બખોલમાં અને પર્વતોની ગુફાઓમાં નિશાગમન કર્યું !” .૧. રન જેવી મૂલ્યવાન કાંબળીઓ. ૨. જેના ઉપર શાલિભદ્ર અન્નપાણીને ત્યાગ કરી ઝાડનેપેઠે સ્થિર રહ્યા હતા તે પથ્થર. For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy