SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ પાંચમે. ૫૩ -~ ~-~ અર્જને ઉત્તર આપે કે, “સુવર્ણથી.” પછી તેના સત્વથી સુપ્રસન્ન થયેલા કેસરીસૂતે ક્ષણવારમાં કાટિ સ્વર્ણકુમાર લાવી અર્પણ કર્યા તે લેઈ પાંડુપુત્રે સ્વનગરમાં આવી યજ્ઞનું સર્વ કાર્ય સમાપ્ત કર્યું. એ પ્રમાણે નિઃસીમ સત્વથી ફુરાયમાન લીલાયુક્ત ગુણવડે અભિલાષિત અર્ચની સિદ્ધિ થતી જઇ વિવેકી પુરૂષોએ પુરૂષાર્થની પ્રસિદ્ધિ કરવા અર્જુનની પેઠે ચઢતા ઉદયવાળી સત્વ પ્રધાન શુદ્ધ ગુણરૂપી લક્ષ્મી ઉપાર્જન કરવી. સત્વ પણ જ્યારે પરવારસહેદરત્રતથી સંજીવિત હોય છે ત્યારેજ પુરૂષને લેકોત્તર પ્રતિષ્ઠાને હેતુ થાય છે. વિવેકવિનાનું એકલું સત્વ તે સિંહ, વાઘ વિગેરેના સત્વની માફક આકારમાત્રનું વહન કરનારું છે. એટલે કે, વિચારવગરનું એકલું સત્વ (સાહસ) જાનવરી જેરને મળતું છે માટે પોતાની પ્રતિષ્ઠા, ધર્મ અને વિજયાદિની વૃદ્ધિ કરવા ઈચછનારે પરસ્ત્રીથી વિરક્ત રહેવું જોઈએ, કારણ, तावल्लोकविलोचनामृतरसस्तावन्मनो वल्लभं । तावद्धर्ममहत्त्वसत्यविलसत्कीर्तिप्रतिष्ठापदं । तावद्भुमिपतिप्रसादभवनं तावच सौभाग्यभूः यावनो परदारसंगरासिको लोकेऽभवन्मानवः ॥ १॥ જ્યાં સુધી પુરૂષ પારદારસંગને રસિક નથી ત્યાં સુધી જ તેનાઉપર લેકોની અમી દૃષ્ટિ રહી તેનું ચિત્ત પ્રસન્ન રહે છે અને ત્યાં સુધી તે ધર્મ, મહત્વ, સત્ય, વિલસતી કીર્તિ અને પ્રતિષ્ઠાનું પાત્ર, રાજાના પ્રસાદનું ભવન અને સોભાગ્યની ભૂમિ બની રહે છે.” માટે જે જીવિત્વને વલ્લભ ગણુતા છે તે પરાંગનાનો સંગ મૂકી દે. એક મૃગચના સીતાના નિમિત્તજ રાવણના દશ મસ્તકે ભૂમિપર રોળાયાં. હરિહરિ ! ત્રિકુટ શિખર પર આવેલી લંકા જેની રાજધાની હતી, ઉછળ સાગર જેના નગરની પરિખા (ખાઈ) રૂપ હતે કુંભકર્ણ જેને બંધુ હતા, જગદ્વિજેતા ઈંદ્રજિત જેને પુત્ર હતા અને જેણે હજારે For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy