SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ શ્રી કુમારપાલ પ્રબંધ. ભાગ. ૫ મો. - * તને કે એક દિવસ સ્થતિ વિષયક શ્રીહેમાચાર્ય-કુમારપાલને સવંધારણ અને પરસ્ત્રીસંગનિષેધસંબંધી ઉપદેશ. હવે તે ભીમદેવને પુત્ર ક્ષેમરાજ દધિસ્થલી(દેથલી)માં રહેતા હતા. ત્યાં તેને દેવપ્રસાદ નામને પુત્ર થશે. દેવપ્રસાદને ત્રિભુવનપાળ નામને પુત્ર થશે. એક દિવસ ત્રિભુવનપાળની સ્ત્રી કાશ્મીર દેવીને ઉત્તમ ગર્ભનાં પ્રભાવથી “સમુદ્રમર્યાદિત પૃથિવીનું પાલન કરૂં, પ્રાણીઓને અભયદાન દેઉં અને વ્યસનો નિષેધ કરૂં” એવા શુભ દેહદ (ડાહળા) થયા. ત્રિભુવનપાળે તે પૂર્ણ કર્યા. પૂરે દહાડે પુત્ર પ્રસવ થયો. તે આગળ જતાં કુમારના જેવો તેજસ્વી અને પથિવીનું પાલન કરનાર થશે એમ વિચારી દેહદાનુસાર માતપિતાએ તેનું કુમારપાળ નામ પાડયું. કુમારપાળપછી કાશ્મીરદેવીએ મહીપાળ અને કીર્તિપાળ નામના બીજા બે કુંવરે અને પ્રેમળદેવી તથા દેવળદેવી નામની બે કન્યાઓને જન્મ આછે. તેમની પ્રેમળદેવીને જયસિંહદેવના સેનાપતિ કૃષ્ણદેવરે અને દેવળદેવીને શાકંભરીના રાજારે પરણાવી. તેમજ કુમારપાળને પળદેવી રાજકન્યા સાથે વિવાહ કર્યો. એ પ્રમાણે કુમારપાળાદિ ત્રણ પુત્રરત્ન વડે ત્રિભુવનપાળ અપૂર્વ વૈભવથી ત્રિભુવનમાં શોભવા લાગે. એક વખત કુમારપાળ સિંહદેવની હારમાં પાટણ આવ્યું. ત્યાં રાજસભામાં રાજાની પાસે બેઠેલા હેમાચાર્યને જોઈ તેના મનમાં આવ્યું કે, આ કળાસાગર જૈન મુનીશ્વર રાજાને પણ માન્ય છે, માટે નિશ્ચયે તેમના દર્શનથી મારા પુણ્યની રાશિ સમ્યક્ઝકા ઉલ્લાસને પામશે, એમ વિચારી તે સૂરિની પાછળ તેમની પિષધશાળામાં ૧ કાર્તિકસ્વામી. ૨ ઉપાશ્રય (અપાસરે). For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy