SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુમારપાલ પ્રબંધ, ૧૭ પામે છે તે જોવાની ઈચ્છાથી અમે હિમાલય પર્વતથી અત્રે આવ્યાં છીએ.” રાજાએ નિર્વા િળ વાર્તધ્યા પતી જા, વિષે મા વા મા વ પ માં (ઝેર વગરના સાપે પણ મટી ફણા કરવી, ઝેર હોય અથવા ન હોય તો પણ ફટાટોપ તે ભયંકરજ રાખે.) એ ન્યાયથી “ કળકોશલ્ય આપને ધીમે ધીમે બતાવવામાં આવશે. પણ હમણાં તો આપ ઉતારે પધારી સ્વસ્થ થાઓ” ઈત્યાદિ બહુમાનયુક્ત શીતળ વચનોથી આનંદિત કરી એકવાર તે ગિનીઓને કેઈ આવાસમાં મોકલી દીધી. પછીથી મનમાં વિચારવા લાગે છે, અહીં શે ઉત્તર દે ? આ ગિનીઓ મહાવિકટ છે, તેથી કોઈ પણ અતિશયયુક્ત કળા બતાવ્યા સિવાય છૂટકે થાય તેમ નથી. નહીં તે વિરૂદ જશે! રાજકાર્યની ચિંતામાં બિલકુલ ફુરસદ મળતી નથી ઈત્યાદિ જેવાં તેવાં બાનાં બતાવી છ મહિના તે કાઢી નાખ્યા. નગરનાં કળા જાણનારા અનેક પડ્યા છે. પરંતુ ગિનીઓરૂપી વાઘણના મુખઆગળ ટકી શકે તે એકકે જણાતું નથી. આ સંસારમાં સર્વ સુખના સાથી છે. સંકટ આવે કેઈ દાદ દેતા નથી. કહ્યું છે કે – सहपरिजनेन विलसति धीरो गहनानि तरति पुनरेकः ॥ विषमेकेन निपीतं त्रिपुरजितासह मुरैरमृतं ॥ १ ॥ ધીર પુરુષો વિલાસ ભગવતીવખતે પિતાના પરિવારને સાથે રાખે છે, પણ સંકટ સમુદ્રનું ઉલ્લંઘન તેમને એકલાને જ કરવું પડે છે. જુ, ત્રિપુરારિએ અમૃતપાનસમયે સર્વ દેવતાઓને સાથે રાખ્યા છતાં વિષપાન તેમને એકલાને જ કરવું પડ્યું હતું.” આ પ્રમાણે ચિંતામાં ને ચિંતામાં તે દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગે. નગરમાં પણ એવી વાત પ્રસરી કે, રાજાજી મહાસંકટમાં આવી પડ્યા છે, પણ રાજવર્ગમાંથી કેઈ કળાવાન નિકળતો નથી. સાંતુ મંત્રીએ રાજાને દુર્બળ થતે જોઈ એકાંતમાં પૂછયું, “મહારાજ, For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy