SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમાં ૨૮ લબ્ધિયો થાય છે તે પૈકી આ એક છે. એના ગે ધર્મની રક્ષા કરવા માટે સાધુ ચક્રવર્તિને સેના સહિત ચૂર્ણવત્ કરી શકે છે. ઉપશમણિ શ. | જુઓ જૈનતત્પાદનો છઠ્ઠા પરિચ્છેદ. પૃષ્ઠ ૨૭૧ " પ્રતિમા વહેવી-શ્રાવકને અગીઆર પ્રતિમા વહેવાનું એટલે પ્રતિમા નામના ત૫ વિશેષને આદરવાનું શાસ્ત્રમાં કહેલું છે. પહેલી પ્રતિમામાં એક મહીના સુધી સમાકિતના યથાર્થ સેવન પૂર્વક ભય લજાદિને ત્યાગ કરી ત્રિકાલ દેવપૂજાદિ કરવાં પડે છે. બીજી પ્રતિમામાં બે માસ સૂધી ઉપરની ક્રિયા સાથે અંહિસાદિ પાંચ અણુવ્રત પાળવાં પડે છે. ત્રીજી પ્રતિમામાં ત્રણ માસ સુધી ઉપરની ક્રિયા કરવાની સાથે બે વખત પ્રમાદ રહિત સામાયિક કરવું પડે છે. ચેથી પ્રતિમામાં તે ઉપરાંત ચાર માસ સુધી બે આઠમ અને બે ચૌદશ એ ચાર પામાં પિષધ કરવો પડે છે. પાંચમી પ્રતિમામાં ચોથીની ક્રિયા કરવાની સાથે પોય માસ સુધી સ્નાન ન થાય, રાત્રે ચાર આહારનો ત્યાગ કરવો પડે, દહાડે બ્રહ્મચર્ય પાળે, કાછડી ઘાલે નહીં અને ચારપવ ઘરમાં તથા ચેકમાં નિઃપ્રકંપ પણે રહી આખી રાત કાઉસ્સગ કરે. છઠ્ઠી પ્રતિમામાં ઉપર પ્રમાણે કરવાની સાથે છ મહીના સુધી બ્રહ્મચારી રહે. સાતમીમાં છઠ્ઠીની ક્રિયા ઉપરાંત વધારેમાં સાત માસ સુધી સચિત્ત આહારનો ત્યાગ કરે. આઠમીમાં વળી તે ઉપરાંત આઠમાસ સુધી પોતે આરંભ એટલે જેમાં પાપ લાગે એ ધ ન કરે. નવમીમાં તે ઉપરાંત નવમાસ સૂધી આરંભ કરાવે નહીં. દશમીમાં દશમાસ સુધી નવમીના અનુષ્ઠાન સાથે સુરમુંડિત રહે (અસ્ત્રાથી હજામત કરાવે) અથવા થોડી ચોટલી રાખે. પિતાના માટે ઘરમાં કરેલા આહારાદિ ન લે અને ઘરનું સર્વ કાર્ય વછે માત્ર દાટેલા ધન વિહા અથવા ના કહે. અગીઆરમી પ્રતિમામાં અગીઆર મહીના સુધી દશમીની દિયાના સેવન પૂર્વક આટલું વિશેષ કરવું પડે છે. ઘરનો ત્યાગ કરે, માથાના કેશને લોચ કરે અથવા સુરમુંડિત કરે જેહરણ પાત્રાદિ લઈ મુનિનો વેષ ધારણ કરી રૂકુલમા ભિક્ષા લે અને મુખે ધર્મલાભને બદલે એમ કહે કે, પ્રતિમા તપન્નાથ શ્રમ પાસવાય મિક્ષ “છેલ્લી પ્રતિમા વહેનાર સાધુના ઉપાસક (શ્રાવક) ને ભિક્ષા આપે,” એમ સર્વ રીતે સાધુ પ્રમાણે વર્તે. એકંદર અગીઆર પ્રતિમા વહેતાં સાડાપાંચ વર્ષ લાગે છે. કાળમાપ–આંખ મટમટાવીએ એટલામાં અસંખ્યાત સમય થાય છે. અસંખ્યાત સમયની એક આવળી. ૪૪૪દા આવળીને એક શ્વાસો શ્વાસ થાય. ૧૨૭૭૭૨ ૧૬ વળીનું એકમુહૂર્ત થાય, ૩૦ મુહૂર્તને એક અહેરાત્ર, ૩૦ અહેરાત્રને એક માસ, ૧૨ માસનું એક વર્ષ. અસંખ્યાત For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy