SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી કુમારપાલ પ્રબંધ. થઈ કર્ણદેવ ના છતાં તેને રાજય આપવાનું વચન આપ્યું. તે ૪૨ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. હવે સંદર્ય, ગાંભીર્ય અને પ્રજ્ઞાબુદ્ધિ આદિ ઉત્તમ ગુણોથી ભૂષિત ક્ષેમરાજ રાજયલાયક હેવાથી કર્ણદેવે રાજયની ઈચ્છા ન કરી; પણ રામની પેઠે ક્ષેમરાજે પોતે પિતાનું વચન યાદ લાવી મેટા આગ્રહ સાથે કર્ણદેવને રાજયપર બેસા. તે લેકમાં “ભેગી કર્ણ' ના નામથી પ્રસિદ્ધ થયે. તેને મિનળદેવી નામની એક રાણી હતી. તેને સંબંધ આ પ્રમાણે છે. કર્ણાટક દેશમાં જ્યકેશી નામને રાજા રાજ્ય કરતે હતે. તેને મિનળદેવી નામની એક કટ્ટીપી કન્યા હતી. તે એક દિવસ તેના પિતાની પાસે રાજસભામાં બેઠી હતી, તેવામાં કેટલાક સોમેશ્વરના યાત્રાળુઓએ ત્યાં આવીને શ્રી સોમેશ્વરની યાત્રાનું વર્ણન કર્યું. તે સાંભળવાથી મિનળદેવીને પૂર્વભવનું સ્મરણ થયું કે, “હું પૂર્વ બ્રાહ્મણી હતી. તે વખતે બારમાસના ઉપવાસ કરી તેના ઉઘાપનમાં પ્રત્યેક વતીને બાર બાર વસ્તુઓ આપી હું શ્રીમનાથની યાત્રા કરવા નિકળી. માર્ગમાં બાહુલેડ ગામ આવ્યું ત્યાં આગળ યાત્રાબુઓ પાસેથી કર લેવાતું હતું. તે આપવાની શક્તિ નહીં હોવાથી હું આગળ જતી અટકી પડી અને તે જ વખતે પ્રભુ પાસે મારા તપના પ્રભાવથી આવતા ભવમાં આ કર મૂકાવનારી થવાની પ્રાર્થના કરી મરીને અહીં રાજપુત્રી થઈ.” પછી જતિસ્મરણવાળી તે કન્યાએ સદર કર છેડાવવા સારૂ ગૂર્જરેશ્વર શ્રીકર્ણદેવને વરવાની પિતાની અભિલાષા સ્વપિતા જયકેશી આગળ દર્શાવી; તેથી તેણે તે કન્યા શ્રીકર્ણદેવને વિવાહમાં આપી. પણ પછી જયકેશીના સાંભળવામાં આવ્યું કે, મિનળદેવીની કદ્રુપતાવિષે કઈ રીતે કર્ણદેવને ખબર પડવાથી હવે તે મિનળદેવીતરફ અનાદર બતાવે છે તેથી તેણે કર્ણદેવને માટે કદાહે લેઈ બેઠેલી પિતાની સ્વયં ૧ પૂર્વ જન્મના જ્ઞાનવાળી. ૨ ટી હઠ. For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy