SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ એકવીસ, કુમારપાળે પૂછયું, “મહારાજ, સંઘપતિમાં કેવા ગુણ હોવા જોઈએ”. શ્રી હેમાચાર્ય બોલ્યા કે, “સંઘપતિ માતાપિતાને ભક્ત અને સ્વજન પરજનને આનંદ આપનાર છે જોઈએ. તેનામાં મદ અને કલહને અભાવ હોઈ તે કંઈનાથી ભ ન પામે. તે શાંતિ, શ્રદ્ધા, શુદ્ધ બુદ્ધિ, દયા, દાન અને શીળથી ભૂપિત અને પર ગુણના વૈભવના ઉત્કર્ષમાં હર્ષ માને એવો જોઈએ. ટુંકામાં સાક્ષાત દેવ સમાન મેશ ગામી પુરુષ સંધપતિના ઐશ્વર્યને અધિકારી થાય. સંઘ જાત્રાના ફળની ઈચ્છા રાખનાર સંઘપતિ મિથ્યાત્વીને સંગ છેડે અને તેમને વચન પર પણ આદર ન કરે. યાત્રાળુઓને પિતાના બાંધો કરતાં પણ અધિક લેખે. સર્વ ઠેકાણે શક્તિથી અથવા ધનથી અમારિ-પટડ દેવડાવે. શ્રી અરિહંતનું ભજન રાખી નિરંતર સાધુ સાધ્વી અને સમકેને અન્નવસ્ત્રાદિના દાન અને પ્રણામ વડે પ્રસન્ન રાખે. એ પ્રકારે ગુરુનો ઉપદેશામૃત સાંભળવાથી કુમારપાળના હૃદયમાં તીર્થયાત્રા કરવાના મનોરથને અંકુર ફુટ તેથી તેણે તત્કાળ શુભ મુહૂર્ત જેવડાવી પ્રસ્થાન સારૂ સુવર્ણ અને રત્નથી જડિત પગજ ઉપર સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત દેરાસર પધરાવ્યું. સર્વ મંદીરમાં અઠ્ઠાઈ મહેચ્છવ મંડા, અમરપડો વજડા, બંધીવાનો છોડાવ્યા અને સ્વામીવાત્સલાદિ બહુ ધામધુમ કરી, પછી વધેડામાં સર્વથી આગળ રાજાનું દેરાસર, પછી ક૨ સામંતનાં દેવાલય, પછી ૨૪ પ્રાસાદના બનાવનાર લાભટ મંત્રીનાં અને તેની પાછળ અઢારસે શેઠિયાનાં દેરાસર એ રીતે મેટી હારની હાર મેઘાડંબર અને છત્રામાદિથી ભિત નિકળી. આવી રીતે પ્રરથાન મહત્સવ ચાલતો હતો તેવામાં ચરોએ આવી ખબર કહી કે, “મહારાજ, ડાહુલ દેશને કર્ણદેવ રાજા મોટું સૈન્ય લેઈને આપની સાથે યુદ્ધ કરવા આવે છે. તે સાંભળ્યા બરોબર કપાળ ઉપર પ્રસ્વેદના બિંદુઓ જાણે તે ચિંતા-સાગરમાંથી નિકળતા હોય તેમ છુટયા પછી તે વાગૃભટ મંત્રીને For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy