SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ ભાગ વીસમે. ૨૩૩ marreveren -------- -- મૂર્તિની પેઠે લેકેના નેત્રરૂપી કમળને ઉલ્લાસ કરનારી શ્રી પાર્શ્વનાથ ની પ્રતિમા મૂળનાયકની જગાએ સ્થાપવામાં આવી હતી, જેમાંની બીજી સેના રૂપા અને પિત્તળની પુષ્કળ પ્રતિમાઓ પ્રેક્ષક જનને વિસ્મય પમાડતી હતી અને જ્યાં મૂળનાયકની સામેની ઉપરની જાળીમાંથી આવતા ચંદ્રમાના કિરણેના યોગે અમૃતના જેવા ઝરતા દિવ્યેષધી જેવા રસથી લેકોના નેત્રાદિ રોગ શાંત થતા. કવિ શ્રીપાલે કહ્યું છે જે स्तम्भैः कन्दलितेव कांचनमयैरुत्कृष्टपटांशुकोल्लाच्चैः पल्लवितेव तैः कुसुमितेवोच्चुलमुक्ताफलैः ॥ सौवर्णैः फलितेव यत्र कलशैराभाति सिक्ता सती श्रीपार्श्वस्य शरीरकान्तिलहरीलक्षेणलक्ष्मीलता ॥ १॥ “શ્રી પાર્શ્વનાથના શરીરની કાન્તિની લહરી રૂપી લક્ષ્મીલતા સુવર્ણના કલશ વડે જે વખતે સિંચાય છે, તે વખતે ( સિંહાસનના) સોનાના થાંભલા વડે જાણે તે અંકુરિત થઈ હેય, ઉત્કૃષ્ટ રેશમી ચીરના ચંદરવા વડે જાણે તે પાંદડાવાળી થઈ હય, વજાએને વિશે રહેલા મિતીના ગુચ્છાઓ વડે જાણે તે પુષિત થઈ હોય અને સેનાના કળશવડે જાણે તે ફૂલવાળી થઈ હોય તેવી શોભે છે.” આ સર્વ ચૈત્યમાં મોટા ઉત્સવ પૂર્વક શ્રીહેમાચાર્ય પિતાના હાથે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. આ ચેની પૂજા માટે રાજાએ પૂલઝાડથી વ્યાસ ઘણા બાગ અર્પણ કર્યા. પછી પિતાની આજ્ઞા માનનારા રાજાઓ પાસે અમને આપવાની ખંડણી માંથી તમારા દેશમાં હિમાલયના શિખર જેવા બહુ વિહાર કરા”એ મંત્રીની સહીથી હુકમ કઢાવીને પર મુલકમાં તેણે ચૈત્ય કરાવ્યાં. ગૂજરાત, લાટ, સૌરાષ્ટ્ર, ભંભેરી, કચ્છ, સૈધવ, ઉવ્યા ? , જાલંધર, કાશી, સપાદલક્ષ, અંતર્વેદિ, મારવાડ, મેવાડ, માળવા, આભીર, મહા ૧. ગંગા અને યમુના નદીઓ વચ્ચે મુલક. ૩૦ For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy