SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૪ www.kobatirth.org શ્રી કુમારપાલ પ્રબંધ, તે વનની ચારે દિશાઓમાં દેવતા પહેરા ભરતા હતા. તેની અંદર સમય સમયના વિલાસ અને ઉલ્લાસ પામનારાં સર્વરૂતુનાં લે શાલી રહ્યાં હતાં. તેને લીધે કુમારપાલ રાજા માનીને પણ માન્ય થયા અને સર્વ પ્રકારે ઉચિત થયેલી તેની જિનાર્ચાના વૈભવ પણ સલ થયા. એ પ્રમાણે શ્રીજિનપતિની ભક્તિના પ્રભાવથી સાક્ષાત્ થયેલા અદ્ભૂત વૈભવ જોઈ દેવબોધિ વિગેરે લોકા વિમય પામ્યા અને સર્વત્ર કહેવા લાગ્યા કે, “ હે ભાઇએ, તમે સ્વર્ગ અને માક્ષનાં સુખ આપનાર શ્રીજિતેંદ્ર દેવની સેવા ભક્તિ કરો. ’’ 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીજા કેાઇ પ્રસંગે શ્રીહેમાચાર્ય ઉપદેશદ્વારા જણાવ્યું કે, “હે ચાલુક્ય ! શુદ્ધ ધર્મનું આરાધન કરવાથી ભન્ય જીવા ભવસમુદ્રને તરે છે. ધર્મના સાધુ અને શ્રાવક આથી બે ભેદ છે. તેમાં પહેલે ઉત્કૃષ્ટ સાધુ ધર્મ ક્ષાંતિ અને આર્જવ વિગેરેથી દા પ્રકારનો છે. બીજો શ્રાવક ધર્મ ખાર ત્રત રૂપે છે. તે ખતે ધર્મ મુક્તિ આપનારા છે અને તેમની નિર્મળતા સમ્યકત્વમાં રહેલી છે. સમ્યકત્વ ભવ્ય જીવાને વ્યક્ત અને અન્યક્ત એ બે ભેદથી થાય છે. જે જિનેશ્વર ભગવાને પ્રતિપાદન કર્યું છે તેજ નિઃશ'કપણે સત્ય છે, એવી શ્રદ્દા રૂપ અવ્યક્ત સમ્યકત્વ તત્વજ્ઞાન વિના થાય છે. વ્યક્ત સભ્ય કન્ન તેવીજ શ્રદ્ધારૂપ તત્વજ્ઞાને સહિત થાય છે. એટલે કે, વ્યક્ત સમ્યકત્વ જીવ અજીવ વિગેરે તત્વાના અને હૈયાપાદેયના જ્ઞાન પૂર્વક મિથ્યાત્વના ક્ષય થવાથી થાય છે. સમ્યકત્વ એ નરક અને તિર્યંચ ગતિરૂપ દ્વારના અર્ગલા સમાન છે. દેવ મનુષ્ય અને નિવાણુ સુખની પ્રાપ્તિમાં તે અત્યંત સહાયકારી છે. સમ્યક્ત્વવાસિત જીવ જો તે સમ્યકત્વનું વમન ન કરે અને જો તેણે પૂર્વે બીજું આવપુ ન ખાંધ્યુ હાય તા અવશ્ય વૈમાનિક થાય છે. કહ્યું છે કે, જે પ્રાણી એક સ્મુહૂર્ત પણ નિર્મળ સમ્યક્ત્વ રત્નને આરાધી તરત છેડી દે તે પણ ભવથમાં વધારે વખત ભમતા નથી, તે પછી ચિરકાળ સુધી સમ્યક્ત્વ ધારણ કરનારનું શું કહેવું ? સ્થૂલ અહિંસાદિ ૧. ત્યાગ કરવા યાગ્ય અને આદરવા ચેાગ્ય, ૨ એ ઘડી વાર. For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy