SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વને નિશા પોતાના ચાર કરે ભાગ બારમે. ૧૨૫ ~~~~~~~~~~~~ ~ ~ ~ ~ ~~ ~~~ વસ્તુની ગુપ્સા અને સંભોગમાં વિદનો ઉદય એ જયારે મુનિના નાશ પામે છે ત્યારે જ અંતઃશુદ્ધિ કરનાર સમતારૂપ અમૃત પ્રગટ થાય છે. એવી રીતે દેવતત્વને નિર્ણય છે. માટે હે આર્યજને, પક્ષપાત મૂકી ગુણવંતમાં સ્નેહવાળા થાઓ. પિતાના શાસ્ત્રમાં જ વિશ્વાસ મા રાખે. અડધો ક્ષણ પણ ચિત્તની શુદ્ધિ કરી વિચાર કરે. શમ દમ, સમતા અને સત્યતાદિ ગુણે છે અને કાંક્ષા, કામ, અંહકાર, અસત્ય, કલહ અને કપટાદિ દોષે છે. એ પ્રસિદ્ધ છે. એ ગુણો અથવા દેશે કાનામાં, તીર્થકરમાં અથવા બીજા દેવમાં રહેલા છે, તેને પોતે જ વિચાર કરો. પ્રત્યક્ષ તો ભગવાન્ sષભ દેવેનથી, તેમ વિષ્ણુએ નથી. તેમ શિવ અને બ્રહ્મા પણ દેખાતા નથી. માટે તેમનાં સ્વરૂપ અને ગુણ આગમાંથી જાણીને વિચાર કરો. અહીં વિશેષ અપવાદ શું છે ? રાજન! બહુ કહેવાથી શું? જે સાંસારિક ભાવથી વિપરીત વૃત્તિવાળો હોય છે તેજ દેવ, બીજે નહીં. કહ્યું છે કે, જે સર્વ સંસારી જીના રૂપથી વિલક્ષણ છે તેજ દેવતત્વનું લક્ષણ પંડિત પુરૂષ પરીક્ષાથી જાણે. ક્રોધ, લેભ અને ભયથી વ્યાપ્ત જગત દેવતત્વથી વિલક્ષણ છે. માટે વીતરાગ દેવ કોઈ પણ પ્રકારે અલ્પબુદ્ધિના ધારવામાં આવે નહીં. હે ચાલુક્ય ! એવા નિર્દોષ જિતેંદ્ર દેવનેવિશે પણ જે પરદર્શનીઓ મત્સરવાળા હોય છે તે પોતાના શાસનમાં રાગ અને બીજાના શાસનમાં ટ્રેષના પ્રગટપણાથી. શ્રીસિદ્ધસેન દિવાકરે પણ કહ્યું છે કે, “હિત કરવાની ઈચ્છાવાળો પુરૂષ પણ જે તારામાં પ્રીતિ નથી રાખતે તે, ખરાબાવાળી ભૂમિ ફડવાના જેવું ભયંકર માનરૂપી કલિનું પ્રગટપણું છે.' એ હેતુથી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માજ દેવ છે. માટે જ ચેતના ( હિત કરવાની ઈચ્છા ) હોય તે એ દેવનું ધ્યાન ધરવું, એમની ઉપાસના કરવી, એમનું શરણું લેવું અને એમના જ શાસનનું પ્રતિપાદન કરવું (સ્વીકારવું ). ૧ સુગ. ૨ જૈન લોકો આઠ પ્રકારના કર્મો માને છે. તેમાં પુરૂષને સ્ત્રી ભેગવવાની અને સ્ત્રીને પુરૂષ ભોગવવાની ઈરછા થવી તેને વેદનીય કર્મનો (વેદને) ઉદય થયો એમ કહે છે. For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy