SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ I ૨૨૩ પડમાં આ સાત એકની નીચે એક એમ આવેલાં છે એવી પૌરાણિક કલ્પના છે. આ પાતાલેા ભૂમિના પડ નીચે તે નથી જ એ જોયું. તે પછી ભૂમિ ઉપર એ કયાં છે તે જોઇએ. વિદ્વાનોએ એને માટે ભિન્નભિન્ન તર્ક કરેલા છે. કેટલાક પાતાલને દક્ષિણ હિંદ-દ્રાવિડ દેશ-સાથે મેળવે છે. કેટલાક પાતાલના પાઁચ શબ્દ અલિસમ હેાવાથી નવા સુમાત્રા વગેરે પાસે આવેલા બિલે ટાપુને લીધે મલાયાના દ્વીપને પાતાલ ગણે છે. શ્રી નંદલાલ દેએ લાંખી ચર્ચા કરી પાતાલને અધાનિસ્તાન ખાનુ તાતૅરી અને એકસસ નદી પાસે૨૨ મૂકવા પ્રયત્ન કર્યાં છે. આ બધા પ્રયત્ને એમાં કરેલી દલીલેાની ખાતર ધ્યાનમાં લેવા જેવા છતાં એમાં આપણાં પુરાણેાની પરંપરાને બરાબર ધ્યાનમાં લીધેલી નથી. પૌરાણિક પરંપરામાં પાતાલ પૃથ્વીના પડની નીચે છે એટલી માન્યતા જ માત્ર કાઢી નાખીએ તે પાતાલ માટે કાંઈક પ્રકાશ પડી શકે છે, અને એ માન્યતા માટેની ચર્ચા આગળ કરી ગયા. એ માન્યતા વેદ સમયની અસુરી વગેરેની અને નીચ્ય ભૂમિના અર્થની પરંપરા ઘસાઈ જઈને છેક આંખી થઈ ગઈ તેથી ઉદ્ભવી છે તે પણ જોયું. એટલે પુરાણા તરફથી ખીજા ટેકા કયા મળે છે તે ોઇએ. પાતાલ નાગલેાક અને પૌરાણિક ભૂગોળ પાતાલના પર્યાય જેમ ‘અલિસદ્ભ’–અસુરેશની ભૂમિ છે તેમ ‘નાગલાક' પણ છે. પૌરાણિક ભૂંગાળમાં જંબુ દ્વીપસ્થ ભારતવર્ષના નવદ્વીપેા કહેવાય છે.૨૩ એનું સવિસ્તર વર્ણન આગળ ખાસ પ્રકરણમાં કરી ગયા. આ દ્વીપામાં દક્ષિણે તામ્રપણું અથવા સિંહલદ્વીપ મૂક્યા પછી નૈઋત્યે ગભસ્તિમત અને પશ્ચિમે નાગદ્વીપ મોન્ય મદ્દામો વાછોયત્રાપિ નાયતે। અહીં પાતાલનું સુખ, શીતેા ણની સમાનતા, સ્વર્ગ કરતાં રમ્ય વગેરે નેોંધવા જેવું છે. ૨૨ અલિસદ્ધ શબ્દ પાતાલના પર્યાય છે તેથી જાવા પાસેના બલિ ટાપુને પાતાલ ગણવા માટે આધાર નથી. આગળ ચર્ચા તે મુજબ દક્ષિણમાં અસુરી વગેરે પાછળથી—વૈદિક સમયના અંત ભાગમાં ગએલા છે. શ્રી નંદલાલ કે પેાતાના પ્રાચીન ભાગેલિક કાબમાં અને ઈન્ડીઅન હીસ્ટારીકલ કવાર્ટરલીમાં પાતાલ માટે લાંખી ચર્ચા કરે છે. હલેા Te−le કહેવાતા હતા તેનું સંસ્કૃત ‘તલ’ થયું. અતલ વિતલ આદિને જાતિઓના નામ તરીકે આ પ્રમાણે બેસાડે છેઃ A-telites (અતલ); Ab-telites (વિતલ જેનું બંગાલી બીતલ કરીને બેસાડેલું જણાય છે); Neph-thalites (નિતલ); To–Charis (તલાતલ); તલાતલને બદલે ગતિમત લઇ એના Jaxartes કહે છે; અને તલાતલને તક્ષકાનું સ્થાન કહે છે; Hai-telites (મહાતલ); Ci-darites or Su-tribes, (સુતલ); આ સુતલને Oxus નદી પાસે મૂકે છે. આ લેાકને સુરભિ અને સુપર્ણ ગડા સાથે મેળવે છે. રસાતલને પણ Jaxartes સાથે મેળવી રસા નદીના પ્રદેશ કહે છે. નાગ શબ્દ પ્રાચીન હણાનું નામ Hiung-Muને અપભ્રંશ કહે છે. શેત્રને સેાગ્ડીઆનાની Sses જાતિ, અને વાસુકિને Usuivis જાતિ કહી બીજી નાગજાતિનાં નામ બેસાડે છે. રસાતલને દાનવાનું પણ સ્થાન કહીને હિરણ્યપુર નગરને ત્યાં મૂકે છે અને કારપીઅન સમુદ્ર હિરચકાપુના નામ ઉપરથી થયાનું લખે છે. ભાગવતની હાટકી નદીને શાકદ્વીપની હિરણ્યવતી નદી સાથે મેળવે છે પણ ભાગવતનું એ આખું વર્ણન ભૂલી જાય છે. જેની ચર્ચાની અહીં જરૂર નથી. પાતાલનગરને બખની પૂર્વાંત્તરે એકસસને કાંઠે મૂકે છે. આ બધું લખ્યા છતાં હિંદુ પર ંપરા પાતાલને હિંદુસ્તાનમાં મૂકે છે એમ કલ કરે છે. આ અનુમાનેા ખરાબર નથી તેની લાંબી ચર્ચા અસ્થાને છે. પાતાલના સમુદ્ર સાથેના સહયોગ સર્વમાન્ય છે એટલે શ્રી નંદબાબુનાં અનુમાના પરંપરાની એક વિરુદ્ધ છે. પાતાલના છેવટનો ભાગ સુપર્ણ ગરુડોને લીધે ઈરાનના શિક્ષણ કિનારા સુધી જાય પરંતુ દરિયાકિનારાથી બહુ ઊંચા પાતાલને લઈ જવા માટે કાઈ આધાર નથી. રા. નંદબાબુ સૂર્ય પશ્ચિમમાં નીચેાઊતરે માટે પશ્ચિમના ભાગ એ ભૂમિના ગર્ભ અને તે પાતાલ એમ અર્થ કરે છે. २३ इंद्रद्वीपः कसेरुमान् ताम्रपणों गभस्तिमान् नागद्वीपः सौभ्यो गंधर्वो वरुणः कुमारिद्वीपश्चायं नवमः शमशेरट्टत કાવ્યમીમાંસા; પૃ. ૯૨, વળી વિષ્ણુપુરાણ અને સ્કંદપુરાણ કૈ, ખં. અ. ૩૯ જુએ. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy