SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩૧ ૧૬૧ સીધા ઊભેલા સ્વતંત્ર સ્તંભને જ ખંભ કે કંભમ્ કે કંબમ કહેવાય છે. ૯ દિક સ્તંભ વૈદિક સાહિત્યમાં સ્તંભને બદલે ખંભ શબ્દ વાપરેલો છે. એના પર્યાય તરીકે સ્તંભ શબ્દ જ મુકાય છે. એ શબ્દ જ્યાં વપરાયો છે ત્યાં ઉપર લખે તેવા અર્થમાં વપરાય છે. પાટડો ટેકવનાર થાંભલો એવો અર્થ નીકળતો નથી. ૧૦ જે આધાર આપે તે બધા થાંભલા એ સામાન્ય અર્થમાં અને શબ્દ એક હોય તે વાત જુદી છે. આપણે તો એ પર્યાય શબ્દોના અર્થની સૂક્ષ્મતાને જ વિચાર અહીં કરીએ છીએ; અને એ અર્થમાં સ્તંભને અર્થ શિવલિંગ થાય કે નહિ તે જોવાનું છે. અથર્વવેદમાં સ્કુભ વેદમાં ખંભ શબ્દ સામાન્ય ખંભના અર્થમાં છે (ચંભ નહિ). પરંતુ અથર્વવેદમાં એને સૌથી મોટા દેવનું૧૧–જગદાધારનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એને બ્રહ્મ, સનાતનતમ દેવ વગેરે કહે છે. એકદમ ખંભ–સાદા ખુલ્લા થાંભલામાંથી સર્વથી મેટા દેવનું સ્વરૂપ ક્યાંથી આવી ગયું એ ગુચવે એવી બીના છે. કુંભ એટલે સ્તંભ અને એ દરેક વસ્તુને આધાર આપે છે તેથી વિશ્વને આધાર આપનાર પરમાત્મા, એ લાક્ષણિક અર્થથી સ્તંભના અર્થનો સ્તંભ એમ એકાએક તો બની શકે નહિ. ખંભ–જેને આપણે ગૂજરાતીમાં હવે “ખંભ” અગર ખુલ્લો થાંભલો કહીશું–ની એના સ્થૂળ સ્વરૂપમાં પૂજા ઘણું લાંબા સમયથી થતી હેવી જોઈએ અને તેને પરિણામે એને સનાતનતમ દેવ તરીકે વેદમાં સ્થાન મળેલું હોવું જોઈએ. અથર્વવેદમાં ઉપરોક્ત કુંભસૂક્તમાં લાક્ષણિક દૃષ્ટિએ તો પૌરાણિકોએ શિવને જે મહેશ્વરનું રૂપ આપેલું તેવું રૂપ આપેલું જણાય છે. પરંતુ એકલો લાક્ષણિક અર્થ કામમાં આવે નહિ. એ સૂક્તના એક મંત્રમાં કુંભને જલમાં ઊભેલો સુવર્ણનો વેતસ કહ્યો છે. ૧૨ અહીં વેતસનો સામાન્ય અર્થ નેતરની લાકડી એ કોઈ પણ રીતે બેસતો નથી. એ જ મંત્રમાં એને ગુહ્ય પ્રજાપતિ કહ્યો છે. આવેદના એક મંત્રમાં અને શતપથ બ્રાણની ઉર્વશીની કથામાં આ શબ્દ લિગના ૧૩ અર્થમાં વપરાય છે. ૧૪ એટલે અથર્વ ૯ આ દ્રાવિડી ભાષાઓમાં કંબ” અગર કંભમ્ શબ્દ છે, પણ એનું મૂળ ત્યાં પણ લુપ્ત થયું છે, એમ એ ભાષાઓના વિકાનેને પૂછતાં સમજાયું છે. પરંતુ કંબમ શબ્દ અને ખંભાર્થ સામાન્ય શબ્દમાં રહેલા સૂક્ષ્મ અર્થભેદ એ ભાષાઓએ સારી રીતે જાળવી રાખ્યા છે. એમ કહેવાય છે કે તામીલમાં એક કવિએ કંભર નામનું કાવ્ય લખ્યું છે. કવિનું બીજું નામ પણ એ જ હતું અને એ પરમ શિવભક્ત હતા. એણે કાવ્યનું અને પિતાનું એ નામ ઈષ્ટદેવ ઉપરથી પાડવું એમ લખ્યું છે. જે આ વાત ખરી હોય તો પ્રાચીન તમિલમાં કંબમ શબ્દ શિવના અર્થમાં મનાતો હોય. જો કે અત્યારે શિવલિંગના અર્થમાં કોઈ માનતું નથી. આ લખતી વખતે એ કાવ્ય જોવડાવી આ બાબતની ખાતરી હું કરી શક્યો નથી. મલયાલમ ભાષામાં કંબમનો એક અર્થ મશાલ પણ થાય છે. ૧૦ વેદ ૮-૪૧-૧૦ || ૧-૩૪-૨ો ૪–૧૩-૫ |. ૧૧ અથર્વવેદ સંહિતા, કાં. ૧૦, સ. ૭ અને ૮. મ તિ સનાતનતમે સેવ બ્રહ્મોમૂતઃ આઠમા સૂક્તમાં સન્મને તÁ Øાથે બ્રહ્મણે નમ: એમ લખ્યું છે. ૧૨ અથર્વ. ૧૦-૭-૪૧. ચો તલ થિ તિષ્યન્ત સન્નેિ વેઢા ન ગુહ્ય: પ્રજ્ઞાપતિઃ | ૧૩ હવે પછી ત્યાં લિગ અગર લિંગપૂજા શબ્દ એકલો વાપર્યો છે ત્યાં એને અર્થ શિશ્ન અથવા શિશ્નપૂજા (Phallus worship) એ કરવો. શિવના લિગ માટે લિગ શબ્દ જયાં વાપર્યો છે ત્યાં શિવલિગ એમ સ્પષ્ટ લખ્યું છે. ૧૪ જુઓ કદ, ૧૦-૯૫-૪ અને ૫; શતપથ બ્રાહ્મણ ૧૧-૫-૧-૧, નિહ ૩-૨૧ પ્રમાણે ચાને મત લખે છે કે: For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy