SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ વહીવટ વેરાની ઉપજ દરબારી ઘેડાના ખરચમાં જતી. ઘાસચારાનો વેરો રબારીઓ પાસેથી ગાયો વગેરે ચારવા માટે રૂ. ૧ લેવા. આ બધામાંથી રૂ. ૫૦૦૦ની આવક હતી. કારીગરો અને ધંધાદારીઓ પાસેથી મોહતરફાર અને કસબ એ નામના વેરા લેવાતા.૧૧ સ્વ. નવાબ સાહેબે કરેલા વહીવટી સુધારા આ પ્રમાણે ગઈ સદીના છેલ્લા પાદ સુધી વહીવટ ચાલતો હતો. સ્વર્ગસ્થ નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના રાજ્યમાં આમાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા અને કેટલાંક ખાતાઓમાં અંગ્રેજી જિલ્લાઓ જેવો વહીવટ દાખલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ન્યાયખાતામાં સુધારા કરી ન્યાય બરોબર અને એકસરખો મળે એવી વ્યવસ્થા તેઓ નામદારે કરી અને લોકેની સગવડ ખાતર ત્રણ કચેરી એક જ મકાનમાં આણી. જમીન મહેસુલ ખાતામાં પણ અંગ્રેજી જિલ્લાઓ જેવા સુધારા કર્યા, સવે અને જમાબંદી દાખલ કરી તથા જેનું વર્ણન ઉપર કર્યું છે તેવા કેટલાક નકામા જૂના વેરા બંધ કર્યા. પોલીસ ખાતામાં પણ જૂના રિવાજ બંધ કરી નવું ધોરણ દાખલ કર્યું. વહીવટ કહી શકાય એવો કેળવણીનો વહીવટ પણ એ નામદારના રાજ્યમાં જ થયો. એનું વર્ણન આગળ કરીશું. રાજ્ય તરફથી દવાખાનાં પણ તેઓશ્રીના રાજ્યમાં થયાં. કેનેડી હૈસ્પિટલ, બીબીબહુ બેગમસાહેબ ડિસ્પેન્સરી અને સ્ટેટ જનાના હૈસ્પિટલ એમ ત્રણ દવાખાનાં થયાં. લગભગ બાર લાખ રૂપિયાનો ખર્ચ આણંદ પેટલાદ રેલવેને ખંભાત સુધી લંબાવી ખંભાતને મુંબાઈની રેલવે સાથે જોડ્યું. આ રેલવે લગભગ બાર માઈલ સુધી દરબાર સાહેબની માલિકીની છે. પરંતુ એને વહીવટ બૅખે બરડા ઍન્ડ સેંટ્રલ ઇન્ડિયા રેલવે કરે છે. ખંભાત બંદરની સુધારણા પણ એઓ નામદારે કરી હતી. હાલ જ્યાં સુધી ડકો છે ત્યાં સુધી રેલવે લઈ જવામાં આવી વળી સ્ટેટ તરફથી માલ લાવવા માટે એક સ્ટીમર તથા ખંભાત ભાવનગર વચ્ચે ઉતારૂઓની એક સ્ટીમર એમ રાખવાનું ઠરાવેલું, પરંતુ એઓ નામદાર બેહનશીન થવાથી એ યોજના પૂરી અમલમાં આવી નહિ. મ્યુનિસિપાલિટી ખંભાતમાં મ્યુનિસિપાલિટી પણ થોડાં વર્ષથી દાખલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ વહીવટ બાર માણસોની કમિટી કરે છે; એમાં છ પ્રજા તરફથી ચુંટાય છે અને છ રાજ્ય તરફથી નીમાય છે ૧૧ Bom. Gan, VI.238. દરેક ધાંચીની ઘાણીના રૂ. ૨થી ૫, કપાસના લેનાર. ૨થી ૫, મેગીની દુકાનનાં ૨, ૨, ગાંધીની દુકાનના રૂા. ૩, લુહારની દુકાનના રૂા. ૨ થી ૫, સુતાર ઉપર રૂા. ૨ થી ૫, દરજી ઉપર રૂા. ૩, સેની ઉપર રૂા. ૩ થી ૧૩, કુંભાર ઉપર રૂા. ૨ થી ૩, ચમારની આખી નાત ઉપર ગામ દીઠ રૂા. ૧૦, અને વણકરો ઉપર શાળ દીઠ રા. ૫. આ સિવાય માત્ર ખંભાત શહેરના લોકો પાસેથી ઘર દીઠ “કાઠીઆ પાળ’ વેરે દસે આના લેખે લેવાનો તે કાડીઓના ત્રાસના રક્ષણના નામે લેવાતો. મુખ્ય રસ્તાઓ ઉપર આવેલાં ઘરે ઉપર વધારાને વરે પણ લેવા અને ચાટામાં વેચાતી વસ્તુઓ ઉપર બજારને વેરો સવા છ ટકા લેવા. ૧૨ આ રેલવે સ્ટેટની માલિકીની ખંભાતથી તારાપુર સુધી છે. ઈ. ૧૯૩૨માં એની કુલ આવક રૂા. ૧,૦૬,૦૦૫ થઈ હતી. તેમાંથી બી. બી. એન્ડ સી. આઇ. ને ખર્ચ જતાં રૂા. ૪૩,૧૪૨ રાજયને નફાના રહ્યા હતા, For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy