SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ પંદરમું વહીવટ હિંદુ સમય એ ભાતનો વહીવટ ખરી રીતે તો સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના પછી જ શરૂ થએલો ગણી ( શકાય. સોલંકીઓના સમયમાં જ્યારથી ખંભાતના સ્પષ્ટ ઉલ્લેખો માલૂમ પડે છે તે વખતે ખંભાત એક મોટું બંદર તથા મધ્યસ્થ ગોલિક સ્થિતિવાળું એક મોટું ને ધનવાન શહેર હતું અને પાટણના ગુર્જર મહારાજ્યનું એક અગત્યનું અંગ હતું. એટલે પાટણના દરબારના ઉત્તમ મંત્રી અને રાજપુરુષોમાંથી કોઈની નિમણુક ખંભાતના વહીવટદાર અગર દંડનાયક તરીકે થતી, અને એ અમલદારના હાથમાં આસપાસના મુલકનો લશ્કરી, દરિયાઈ તથા મુલ્કી વહીવટ રહેતો. ઉદયન મંત્રી અને વસ્તુપાલ જેવા મહામંત્રીઓએ ખંભાતના વહીવટનો ઇતિહાસ ભાવેલો છે. શહેર અને બંદરના અધિકારી તેમજ બીજા નાના અમલદારોની વિગત મળતી નથી. પરંતુ એ સમયે સોલંકીઓની સામાન્ય રીત પ્રમાણે પંચકુલથી શહેરનો વહીવટ ચાલતો હશે અને ન્યાય તથા કારોબારી ખાતાં ચાલતાં હશે એમ અનુમાન થઈ શકે. મુસલમાન સમય મુસલમાન સમયમાં ગૂજરાતની સ્વતંત્ર સતનતે મોટે ભાગે મોટાં શહેરોમાં વહીવટમાં થોડા ફેરફાર મુસલમાન રિવાજ પ્રમાણે કરી બીજે વહીવટ સોલંકીઓની ચાલી આવતી પ્રથા પ્રમાણે રાખ્યો હતો. ખંભાત એ સમયમાં પણ અમદાવાદના મહારાજ્યનું અંગ ને મોટું બંદર હતું, અને એનો વહીવટ ચાલ્યા આવતા રિવાજ પ્રમાણે થત. મોટા દંડનાયકો નિમાયાનું જાણ્યામાં નથી. પાટણ કરતાં અમદાવાદ વધારે સારી મધ્યસ્થ જગ્યા અને ખંભાતની વધારે પાસે હોવાથી દંડનાયકની જરૂર રહે નહિ. બંદરના વહીવટ માટે ખંભાતના દરોગાના ઉલ્લેખો મળે છે. સલ્તનતના શરૂઆતના સમયમાં ગુજરાતના નૌકાસૈન્યનું મુખ્ય થાણું ખંભાતમાં હોવાથી એના “મીરે બેહર” (First Lordof Admiralty)ને ખંભાત રહેવું પડતું, પરંતુ પાછળથી એ સ્થાન દીવ બંદરે લીધું. મોગલાઈનાં થોડાં વર્ષો ગયા પછી સુરત મુખ્ય બંદર થવાથી ખંભાત સુરત બંદરના મુત્સદ્દીના હાથ નીચે ગયું. આમ છતાં પણ ખંભાતમાં નાયબ મુત્સદ્દી તથા દરેગો (Customs officer) રહેતા ૧ ખંભાતની જગ્યાએ વલભીના સમયમાં જે નામથી શહેર હશે ત્યાં વલભીને વહીવટ હશે. એ વહીવટ ઉતમ પ્રકારને હતો. પરંતુ ખંભાત નામ સાથે ૨૫ષ્ટ ઉલ્લેખ એ વખતે નથી તેથી એ વહીવટનું વર્ણન કરવાની જરૂર નથી. પંચકુલના વહીવટના ઉલ્લેખે ઘણા મળે છે. ૨ અમદાવાદના સુલતાન મોટાં શહેરોમાં કાજી વગેરે રાખી કેટલીક ધાર્મિક બાબતે સિવાય દેશના વહીવટમાં સોલંકીએના વહીવટ મુજબ ચાલુ રાખ્યું હતું. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy