SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી કેઠી સર ચાર્લ્સ મેલેટ ૧૭૭૪-૮૩. ઈ. સ. ૧૭૭૪માં સર ચાર્લ્સ મેલેટની રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ. એ લાંબા વખતના ગાળામાં મરાઠાઓ સાથે નવાબને કંટાબખેડા થયા કરતા અને કંપનીએ એમાં સારો ભાગ ભજવેલો એ આગળ જોઈ ગયા છીએ.૧૯ કંપની નવાબને જૂના મિત્ર તરીકે ગણતી અને દરેક વખત બનતી મદદ કરેલી છે. ૨૦ સર ચાર્લ્સ મેલેટના વખતમાં ખંભાતની આવક ઘણી ઓછી થઈ હતી અને સારી વ્યવસ્થા થાય તે બે લાખને બદલે પાંચ લાખની આવક થાય એવું લખાણ સર ચાર્લ્સ કર્યું હતું. સર ચાર્લ્સ ખંભાતને ગૂજરાત પ્રાંતની ચાવી (Key) ગણતા૨૧ અને ત્યાં ત્રણ તપો અને ૫૦ યુરોપિયન સિપાઇઓ રાખવા લખેલું. પરંતુ મુંબાઈ સરકારને એ પસંદ ન પડ્યું અને એટલું લશ્કર રાખ્યાને અર્થ નથી, તેમજ નવાબને આપેલા વચન પાળી ફતેહસિંહ સામે મદદ કરવી જોઈએ એવું લખાણ આવ્યું. રેસિડેન્ટે સુરત અને ભરૂચ સાથે ખંભાતને સરખાવી ખંભાતની ગૂજરાતમાં આવી રહેલી મધ્યસ્થ પરિસ્થિતનાં વખાણ કરી કંપનીના માનની ખાતર પણ ખંભાતમાં સારી રીતે રહેવા લખાણ કર્યું. આ વખતે મિરઝાં મુહમ્મદ ઝમાન સાથે નવાબને પડેલા ઝઘડામાં પણ કંપનીએ ભાગ લીધો જણાય છે; અને નવાબે રેસિડેન્ટ આવી બાબતમાં ભાગ લે છે તે માટે મુંબાઈ લખેલું એટલે રેસિડેન્ટ ઉપર લખાણ આવેલું કે નવાબની અંદરની વ્યવસ્થામાં કંપનીએ વચ્ચે પડવું નહિ.૨૨ રામટે હૈલાઈ સર ચાર્લ્સ મેલેટ પછી મિ. રૉબર્ટ હૈલફ (Holford) રેસિડેન્ટ થે. ખંભાતને ફુરજા દરવાજે જે મરાઠાઓના કરારને લીધે અંગ્રેજોને વહીવટમાં આવેલો તે નવાબને પાછો આપવા મુંબાઈથી મિ. હૈલોર્ડ ઉપર હુકમ આવ્યો.૨૩ (૧૭૮૪) એ વખતે ખંભાતનું સ્થળ ગૂજરાતમાં લશ્કરી ઉપયોગ માટે કેટલું મહત્વનું છે એ દર્શાવતો પૂનાના અંગ્રેજ રેસિડેન્ટ લખેલો કાગળ મુંબાઈ સરકારને મળે. મિ. સૅલૉં રેસિડેન્ટની જગ્યા ઉપર ઈ.સ. ૧૮૦૩ સુધી રહ્યા. એ અરસામાં ૧૯ આ અરસામાં સરકારી દફતરોમાં જનરલ ગોડાર્ડ, રેસિડેન્ટ, અને નવાબને લગતા ઘણા લાંબા કાગળો છે અને એમાં એકબીજા ઉપર આરોપ મૂકેલા છે, જેને અહીં રથાન નથી. ૨૦ આ બાબત આગળ જોઈ ગયા છીએ. તળાજાના કિલ્લાને લગતા અને ધાને લગતા ભાવનગરના રાજાની સાથેના ખંભાતના સંબંધ બાબત પણ જોઈ ગયા છીએ. મુંબાઈનાંદફતરમાં બર્ડ એફ ડાયરેકટરને એ બાબત એક કાગળ છે તેમાં જણાવ્યું છે કે નવાબ અને ભાવનગરના રાજાને સારો સંબંધ રહે તો સારું. પણ જે ઘોઘા નવાબના હાથમાં આવે તો નવાબ ત્યાં કાઠી કરવા દેવી અને બીજા યુરેપિયનોને ન પેસવા દેવા. ૨૧ Bom. Govt. Rec. P.D.D. 13. સર ચાર્લ્સે આ બાબત પણ લાંબું લખાણ કરેલું જણાય છે. નવાબે મહાદજી સિધિયાને કાગળ લખેલો હાથ આવ્યાનું પણ લખેલું છે. ત્રણ તપ અને પચાસ યુરોપિયન સિપાઈઓથી ખંભાત લઈ શકાય એમ એમને મત હતે. ૨૨ એ જ. મિરઝાં મુહમ્મદઝમાન નવાબ સાહેબનો નાયબ (વઝીર) હતો. ૨૩ ચેાથના કારણથી એ દરવાજો મરાઠાના હાથમાં આવ્યો હતો. અમદાવાદમાં પણ એ મુજબ એક દરવાજે એમણે કબજે રાખેલો. (ભેગા વહીવટ વખતે). For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy