SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર A પ્રથમ વિષે ઉત્તમ (સોમનાદા) ભવ્યલોકોના નાથ, એટલે - યોગ અને ક્ષેમ કરનારા; યોગ એટલે નહિ પ્રાપ્ત |ી વ્યાખ્યાનમ્ થયેલા જ્ઞાનાદિકની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકનું રક્ષણ; તેઓના કરનારા (નોદિયા) દયાના પ્રરૂપક હોવાથી સર્વ જીવોનું હિત કરનારા, (તોરાપવા) મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનાર Rી હોવાથી લોકોને વિષે પ્રદીપ સમાન (નોઝોમગરા) સૂર્યની પેઠે સકલ પદાર્થોનો પ્રકાશ કરનાર હોવાથી લોકોમાં પ્રઘાત કરનારા. (ઉમા ) સાતે ભયને હરનારા હોવાથી અભયને દેવાવાળા, સાત ભય આ પ્રમાણે-મનુષ્યને મનુષ્ય થકી જે ભય તે ઈહલોકભય,'મનુષ્યને દેવ વિગેરેથી જે ભય તે પરલોકભય, ધન વિગેરેની ચોરી થવાનો જે ભય તે આદાનભય, બહારના કોઈ નિમિત્ત વિના જે આકસ્મિક ભય તે અકસ્માદુભય,* ગુજરાન ચલાવવાનો જે ભય તે આજીવિકાભય,"મૃત્યુનો જે ભય તે મરણભય, અપકીર્તિ થવાનો જે ભય તે અપયશભય,°. એ સાત ભયને હરનારા હોવાથી અરિહંત ભગવાન્ અભયને દેનારા છે. (ચવષ્ણુયા) શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુને દેવાવાળા, (મારા) સમ્યગુ-દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ મોક્ષમાર્ગને દેવાવાળા, (સરળતા) સંસારથી ભય પામેલાઓને શરણ આપનારા (વોદિયા') સમ્યક્તને આપનારા (ઘમનાયT) ધર્મના નાયક એટલે સ્વામી (ઉમ્મસારીur) ધર્મરૂપી રથના સારથિ, જેમ સારથિ એટલે રથ હાંકનારો માણસ ખોટે માર્ગે જતા રથને ખરે માર્ગે લાવે છે, તેમ ભગવાનું પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા માણસને સન્માર્ગમાં લાવનારા છે. ભગવાન ધર્મરૂપી રથના સારથિ છે, તે ઉપર મેઘકુમારનું દૃષ્ટાંત - ૫૨ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy