SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org h A હોય; તો એવા સાધુને અપવાદમાર્ગે અસ્ત્રાથી મુંડન કરાવવું. મુંડન કરાવનાર સાધુએ પ્રાસુક પાણીથી પોતાનું મસ્તક પલાળવું, અને હજામના હાથ પણ પ્રાસુક પાણીથી ધોવરાવવા. (વિદ્ધયા સરોવળા) ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટના બંધનની પંદર પંદર દિવસે આરોપણા કરવી, એટલે પાટ પ્રમુખના બંધનની દોરીઓના બંધ પંદર પંદર દિવસે છૂટા કરી પડિલેહી યતનાપૂર્વક પ્રમાર્જીને પાછા બાંધી લેવા; અથવા આરોપણા પ્રાયશ્ચિત્ત સર્વકાલ પંદર પંદર દિવસે લેવું, અને વર્ષાકાલમાં તો વિશેષે કરીને લેવું. (માસિ છુરમુંડે) લોચ કરાવવાને અશક્ત સાધુએ અસ્ત્રાથી મુંડન મહીને મહીને કરાવવું. (સદ્ધમાસિ! વત્તરિમુંડે) જે સાધુ મુંડન પણ કરાવવા અસમર્થ હોય, અથવા જેના માથામાં ગુંબડાં આદિ થયેલ હોય, તે સાધુએ કાતરથી કેશ કતરાવવા, અને તેણે પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કેશ કતરાવવા. મુંડન કરાવવાનું પ્રાયશ્ચિત્ત નિશીથસૂત્રમાં કહ્યા મુજબ લઘુમાસ અને કતરાવવાનું પ્રાયશ્ચિત્ત ગુરુમાસ સમજવું. (ઇમ્મસિ! સ્રોણે સંવરિ વા થેરવાબ્વે) સ્થવિકલ્પમાં સ્થિત એવા વૃદ્ધ સાધુઓએ ઘડપણથી જર્જરિત થવાને લીધે તથા આંખના રક્ષણ માટે છ મહીને અથવા એક વરસે લોચ કરાવવો; અર્થાત્ તરુણ સાધુઓએ ચાર મહીને લોચ કરાવવો (૨૨) ૫૭ના (वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा परं पज्जोसवणाओ अहिगरणं वइत्तए) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને પર્યુષણ પછી ક્લેશકા૨ી વચન બોલવું કલ્પે નહિ. (ને Ō નિŘયો વા નિર્વાંથી વા) જે કોઈ સાધુ અથવા સાધ્વી (રૂં પન્નોસવળો) જો પર્યુષણ પછી (હિમ વચŞ) Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only થી નવમં વ્યાખ્યાનમ્ ૬૨૩
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy