SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir PARENT કલ્પસૂત્ર ભાષાંતર નવમ | વ્યાખ્યાનમુ ન પામેલ તે સાધુને ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવું-પેસવું કહ્યું નહિ. શિષ્ય પૂછે છે કે - (સે | મિત્ અંતે ?) હે ભગવનું એમ આપ શા કારણથી કહો છો?, એટલે આચાર્યાદિની આજ્ઞા લઈને જ સાધુએ આહાર-પાણી માટે જવું તેનું શું કારણ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે – (૩મારિયા વાથે નાપત્તિ) તે આચાર્યાદિ વિપ્નને અને વિદ્ગના પરિવારને જાણે છે. એટલે - સાધુને ગોચરી જતાં કાંઈ વિઘ્ન નડવાનું હોય તો આચાર્યાદિ ગીતાર્થ હોવાથી તે જાણે છે, અને તેથી પૂછીને જતાં તે સાધુને અટકાવે છે. વળી ગોચરી ગયેલ સાધુને વરસાદ નડવાથી, અથવા પી લોકોએ ઉપદ્રવ કરવાથી, અથવા કોઈ સાથે ટંટો-ફીસાદ થવાથી ઉપાશ્રયે આવતાં વિલંબ થયો હોય; તો પોતાની આજ્ઞા લઈને જે દિશામાં સાધુ ગયેલ હોય ત્યાં તપાસ કરાવી આચાર્યાદિ તે વિઘ્નને દૂર કરવા સમર્થ હોય છે. વળી કોઈ તપસ્વી, બાલ કે ગ્લાનાદિ માટે કાંઈ મંગાવવું હોય તો પોતાને પૂછીને જતા તે સાધુ સાથે આચાર્યાદિ જોઈતી ચીજ મંગાવી શકે આવા અનેક હતો. કારણોથી સાધુએ આચાર્યાદિને પૂછીને જ આહાર-પાણી માટે જવું II૪૬ll (ર્વ વિહારમૂર્ષિ વા) એવી રીતે જિનેશ્વરના મંદિરમાં જવું હોય, (વિચારભૂમિં વાં) અથવા વિચારભૂમિ એટલે શરીરચિતાદિ માટે - ઠલ્લા પ્રમુખ માટે જવું હોય, (૩ન્ને વારં ફ્રિજિ પ૩ોયyf) અથવા લખવું, સીવવું પ્રમુખ બીજું જે કાંઈ પણ પ્રયોજન હોય તે સર્વ આજ્ઞા લઈને જ કરવું. તાત્પર્ય કે સાધુએ ફક્ત શ્વાસોચ્છવાસાદિ ૬૧૦ =૧0 For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy