SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobairthorg Shri Kailassagarsuri Gyanmandit કલ્પસૂત્ર ભાષાંતર સપ્તમ વ્યાખ્યાનમ્ (ાસે i ૩રહ્યા પુરિસાવાળg) પુરુષ પ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથે (તેસીડું રારિયા) દીક્ષા લીધા પછી ત્યાશી દિવસ સુધી ( નિર્ચ) હમેશાં (સાઈ) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વીસરાવી છે કાયા જેમણે એવા, (ચિત્ત) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતા ( ૨ ૩વસTI Mષ્પત્તિ) જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા? તે કહે છે – (નહીં-) તે આ પ્રમાણે - (વા વા) દેવોએ કરેલા, (માણુસા વા) મનુષ્યોએ કરેલા, (તિરિવશ્વનોજિયા વા) અને તિર્યંચોએ કરેલા; (પુતોના વા) અનુલોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં; દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, વિગેરે અનુકૂલ ઉપસર્ગો; (ડિતોમા વા) પ્રતિલોમ એટલે દેવ મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂળ ઉપસર્ગો; ઈ. (તે પન્ને સન્મ સહ૬) દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગોને પ્રભુએ સમ્યફ એટલે નિર્ભયપણે સહન કર્યા, (સ્ત્રમ) ક્રોધ રહિતપણે ખમ્યા (તિવ) દીનતા રહિતપણે સહન કર્યા, (દિયાસે) અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુને તે ઉપસર્ગોમાં દેવે કરેલ ઉપસર્ગ કમઠ સંબંધી આ પ્રમાણે થયો - શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા સ્વીકારી વિચરતા છતા એક વખતે કોઈ તાપસના આશ્રમમાં પધાર્યા, અને ૪૧૪ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy