SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (hmi કલ્પસૂત્ર ભાષાંતર સપ્તમ વ્યાખ્યાનમ્ (પુત્તિ જ જે પાસ મરડો પુરાવાય માપુડો હિત્યઘમા) મનુષ્યને ઉચિત એવા આ ગૃહસ્થધર્મ એટલે વિવાહાદિની પહેલાં પણ પુરુષપ્રધાન અર્ધન શ્રીપાર્શ્વનાથને (૩yત્ત અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ (માહો) અને ઉપયોગવાળું અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું. (તે વેવ સર્વ) તે સર્વ પૂર્વ પેઠે-શ્રીમહાવીર સ્વામી પેઠે કહેવું; એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું અવધિજ્ઞાન અને અવધિ દર્શન હતું, તે અવધિજ્ઞાન અને અવધિદર્શનવડે પ્રભુ પોતાનો દીક્ષાકાલ જાણે છે. પોતાનો દીક્ષા કાલ જાણીને સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકોને આપે છે, એટલે વાર્ષિક દાન આપે છે; (વાવ-રામાં સાચાં રમાત્તા) યાવત-પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા? તે કહે છે - હવે તે હેમંતા તુ મારે) જે આ હેમંતઋતુનો બીજો માસ, (તત્તે પર્વપોસદુ) ત્રીજું પખવાડીયું એટલે (તસ પોસવદુલ રૂારસી વિશે ) પોષ માસના કૃષ્ણ પખવાડીયાની અગીયારસને દિવસે (પુત્રદૃાનસમસ) પહેલા પહોરને વિષે (વિસાભાઈ વિયા) વિશાલા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા છતા (સવ-મજુથ-ડસુરારિસાઈ) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક પ્રકારે પાછળ ગમન ૧. ગુજરાતી - માગશર વદી અગીયારસને દિવસે. : ૪૧૨ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy