SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર R ક્રિયા કેટલાકને બંધનું કારણ અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી અગ્નિહોત્ર Aિ ષષ્ઠ કરનારને સ્વર્ગ મળે છે, મોક્ષ મળતો નથી. આવી રીતે ફક્ત સ્વર્ગરૂપ જ ફળ આપનારી ક્રિયાને આખી વ્યાખ્યાનમુ. જિંદગી સુધી કરવાનું કહેલું હોવાથી મોક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાનો કોઈ કાલ રહ્યો નહિ, કેમકે આખી જિંદગી સુધી અગ્નિહોજ કરનારને એવો કયો કાળ બાકી રહ્યો કે જે કાળે મોક્ષના હેતુભૂત ક્રિયા કરી શકાય ? તેથી મોક્ષ સાધનારી ક્રિયાનો કાળ ન કહેલો હોવાથી જણાય છે કે મોક્ષ નથી. પણ વળી - “ढे ब्रह्मणी वेदितव्ये, परम् अपरं च । तत्र परं सत्यज्ञानम्, अनन्तरं ब्रह्मेति ।" “ઢે તો વેરિત) એટલે બે બ્રહ્મ જાણવાં, (પરમ્ ૩પ ) એક પર અને બીજું અપર. (તત્ર પર સત્યજ્ઞાનમ) તેઓમાં પર સત્ય છે, (૩નન્ત તિ) અને અનન્તર બ્રહ્મ એટલે મોક્ષ છે. એ વેદપદોથી તથા ઔષા ગુદ સુરવદ” એટલે સંસારને વિષે આસક્ત એવા પ્રાણીઓને તે આ મુક્તિરૂપી ગુફા દુરવગાહ એટલે પ્રવેશ ન થઈ શકે એવી છે” ઇત્યાદિ વેદપદોથી મોક્ષની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર | વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે મોક્ષ છે કે નથી ? પરંતુ હે પ્રભાસ ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે – “ગરીમ વા નહોત્ર’ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી તે વેદપદોમાં જે “વા'| શબ્દ છે તે અપિ એટલે “પણ” અર્થવાળો છે, તેથી એ વેદપદોનો અર્થ એમ થાય છે કે – માવજીવ સુધી પણ ૩૭૯ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy