SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org વખાણ થવા લાગ્યાં. આથી આહેર અને આહીરણ જિનદાસ ઉપર ઘણા ખુશ થઈ, તેઓ અતિમનોહર મજબૂત અને સરખી વયના શંબલ તથા કંબલ નામના ત્રણ ત્રણ વરસના બે વાછ૨ડા શેઠને દેવા લાગ્યા. જિનદાસ અને સાધુદાસીએ તે વાછડા પાછા લઈ જવા ઘણું સમજાવ્યા છતાં તેઓ પરાણે તેમને દ્વારે બાંધી ચાલ્યા ગયા. જિનદાસે વિચાર્યું કે - ‘જો આ વાછડાને છોડી મૂકીશ તો લોકો તેમને ખસી કરી ગાડી, હળ વગેરેમાં જોડી દુ:ખી કરશે, માટે ભલે મારે ઘેર જ રહ્યા' ઇત્યાદિ વિચારી તે દયાળુ જિનદાસ બન્ને વાછડાનું પ્રાસુક ઘાસ અને પાણીથી પોષણ કરવા લાગ્યો. જિનદાસ આઠમ, ચૌદસ વિગેરે પર્વતિથિએ પોસહ લઈ ધાર્મિક પુસ્તકો વાંચતો, તે સાંભળી તે બળદો ભદ્રક પરિણામી થયા. પછી જે દિવસે શેઠ ઉપવાસ કરે તે દિવસે બળદો પણ ઘાસ પાણી વાપરે નહિ, તે દિવસે તેમને ઘાસ નીરે પણ જ્યારે ખાય નહિ ત્યારે શેઠે વિચાર્યું કે ‘આટલા દિવસ તો મેં માત્ર દયાને લીધે આ બળદોને પોષ્યા, પણ હવે તો મારા સાધર્મિક બંધુઓ છે'. એમ વિચારી જિનદાસ તેમનું બહુમાન કરવા લાગ્યો, તેને બળદો ઘણા પ્રિય થઈ પડ્યા. એક વખતે ભિંડીરવણ નામના યક્ષનો યાત્રોત્સવ આવ્યો, તેથી તે દિવસે જુવાનીયાઓએ વાહનોની વાહનક્રીડા કરવા માંડી. તે ઉત્સવમાં જિનદાસનો એક મિત્ર અતિ બલિષ્ટ અને દેખાવડા તે બળદોને જિનદાસને પૂછ્યા વગર જ લઈ ગયો. તેમણે જન્મથી ધોંસરી પણ જોઈ નહોતી એવા તે અણપલોટ બળદોને પોતાની ગાડીએ જોડી તેણે એક બીજાની સ્પર્ધાથી એવા તો દોડાવ્યા કે વાહનક્રીડા કરનાર દરેક લોકોને ક્ષણવારમાં જીતી લીધા, 4 For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠ વ્યાખ્યાનમ ૨૯૧
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy