SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૦ અર્થ ––“સ્વચ્છંદ જે ગતિ, તેમાં છે મતિને પ્રચાર જેને અર્થાત સ્વચ્છેદે વર્તવાની છે બુદ્ધિ જેની એવા એકલા મુનિને ધર્મજ કયાંથી હોય ? અપિતુ ન હોય. વળી એકલો તપક્રિયા વિગેરે શું કરે? અથવા એકલો અકાર્યને પણ કેમ પરિહરવા શક્તિમાન થાય? અર્થાત્ ન થાય. માટે ગુરૂકુળવાસમાં જ રહેવું.” कत्तो सुत्तथ्थागम, पडिपुच्छणा चोयणा च इक्कस्स । विणओ वेयावच्यं, आराहणया य मरणंते ॥ १५७ ।। – ૩પશમારા. અર્થ:–“એકલા મુનિને સુત્રાર્થની પ્રાપ્તિ પણ કયાંથી થાય? પ્રતિપૃચ્છા-સંદિગ્ધનું પૂછવું તે કોની પાસે કરે ? ચોયણ–પ્રમાદમાં પડેલાને શિક્ષાદાન કોણ આપે ? એકલે વિનય કોને કરે ? વૈયાવચ્ચ કેન કરે ? અને મરણને નમસ્કાર મરણ, અણુસણાદિ આરાધના પણ તેને કાણુ કરાવે ? અર્થાત એટલાં લાભ એને ક્યાંથી પ્રાપ્ત થાય ? ન થાય.' • पिल्लिज्जेसण मिको, पइन्नपमयाजणाउ निच्च लयं । काउं मणोवि अकज्जं, न तरइ काऊण बहुमझे ॥ १५८ ।। --શ્રી રૂપરામા. અર્થ– એકલો મુનિ એષણા જે આહારની શુદ્ધિ તેનું પણ ઉલ્લંઘન કરે છે, અર્થાત કદાચિત અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરે છે. વળી પ્રકીર્ણ –એકાકી એ જે પ્રમદાજન–સ્ત્રી જન તેનાથી તેને નિરંતર ભય રહ્યા કરે છે અને બહુ મુનિના મધ્યમાં તો અકાર્ય કરવાનું મન પણ કરવાને શક્તિવાન થવાતું નથી, તે કાર્ય કરે તો શેનોજ ? માટે સ્થવિરકલ્પી મુનિઓને એકાકા વિહાર યુક્ત નથી.” एगदिवसेण बहुआ, सुहाय असुहाय जीवपरिणामा । इको असुहपरिणओ, चइज्झ आलंवणं लघु ॥ १६० ॥ - ૩રામારા અર્થ—-“એક દિવસમાં પણ જીવના પરિણામ શુભ અને અશુભ એવા બહુ પ્રકારના થાય છે, તેથી એકલે મુનિ અશુભ પરિણામવાળો થયો સતો કાંઈક આલંબન-કારણને પામીને ચારિત્રને તજી દે છે અથવા અનેક પ્રકારના દોષ લગાડે છે.” For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy