SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ પં. શ્રી રામવિજયજી, જેમનું સંસારીપણામાં ત્રીભોવનદાસ નામ હતું, તેઓશ્રીને જન્મ અમારા કુટુંબમાં સંવત ૧૮૫રના ફાગણ વદ ૪ને દિને થએલે છે. જન્મ પછી સાતેક વર્ષે તેમની માતા ગુજરી જવાથી, તેઓ પિતાના પિતાના પિતાની માતા, જેઓ ઘણું ધર્મનિષ્ટ હતાં, તેમના હાથ નીચે ઉછર્યા હતા, તેથી તેમને બચપણથી જ ધર્મના ઉત્તમ સંસ્કાર પડેલા હતા. તેમની દીક્ષા સંવત ૧૮૬૯ના પિપ સુદ ૧૩ના રોજ થઈ છે. તે પૂર્વે લગભગ આઠ વર્ષથી તેમને દીક્ષા લેવાના ભાવ થએલા, અને તેમાં ખાસ પ્રેરણા તેમની માતુશ્રીની જ હતી. મેહનલાલભાઈ ૧૨-૧૩ વર્ષની વયે કાવીમાં દીક્ષા લીધાનું જણાવે છે, તે તદન ખોટું છે. પણ લગભગ ૧૭ વર્ષની વયે પાદરાથી ગંધાર મુકામે જઈ દીક્ષા લીધી છે. પાદરામાં દીક્ષા નહિ લેવાનું કારણ એ હતું કે અમારું કુટુંબ બહુ વિશાળ હતું. તેમાંથી ડોશીની નજર તળે ઘણું માણસે મરી ગયા હતા. તેથી નાના તરીકે એકના એક રહેલાં ત્રીભોવનદાસ ઉપર તેમને વધુ મેહ હતું, તેથી મેહને લીધે દીક્ષા લેવાની રજા તેઓ આપતાં નહોતાં, પરંતુ દીક્ષા લઈને પાછા મહારાજશ્રી પાદરામાં પધાર્યા ત્યારે ખુશી થયાં હતાં અને ત્યારપછી લગભગ દોઢ વર્ષે એટલે લગભગ નેવું વર્ષની વયે દેવગત થયાં હતાં. મારાં બેન કે જે તેઓશ્રીનાં દીકરી થતાં હતાં તે ત્યારપછી લગભગ પાંચ વર્ષ મૃત્યુ પામ્યાં છે. પણ બેમાંથી કોઈએ મેહનભાઈના કહેવા પ્રમાણે લેશ કર્યો નથી કે કલેશને કારણથી મરણ પામ્યાં નથી. બીજી હકીકત મેહનલાલભાઈએ પરમગાતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરિશ્વરજી અને ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી સંબંધી જણાવી છે, તે કેવળ તેઓશ્રીની નિંદા કરવા માટે જ કરી છે. ત્રીભોવનદાસને ભેળવવાનો અને ઉપાડી જવાનો આક્ષેપ કેટલે ખોટો છે, તે ઉપરની હકીકતથી જ આપશ્રીને જણાઈ આવશે. શ્રી વિજયદાનસૂરિજી પાદરા પધાર્યા તે પહેલાં ઘણા વર્ષથી ત્રીભોવનદાસને દીક્ષા લેવાની ભાવના હતી અને તેજ ભાવના પૂજ્ય ગુરૂદેવના સમાગમથી વધારે વૃદ્ધિ પામી હતી. “તરકટ ભર્યું વિગેરે” જે વાત મેહનલાલભાઈ કહે છે, તે તેમના કહેવાની ઢબ ઉપરથીજ તરકટી અને કેવળ મહાન પુરૂષોની નિંદા કરવાના ઈરાદાથી જ કહેલી જણાઈ આવે છે. ત્રણ રૂપીઆના પગારની વાત કહે છે, તે પણ કેવળ આપ વડાઈ અર્થે કહેલી છે. હા, તેઓશ્રી શૈડા માસ સુધી તેમને ત્યાં શીખવા માટે જતા અને તેમનું કામ કરતા, તેના બદલામાં કાંઈ આપ્યું હોય તે તેની મને યાદ નથી. બાકી તેમને પગાર મળતે અને તે ઉપરજ ડેસીઓનું ૪૩ For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy