SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ તલસે છે. જે લેાકા સગીર છે, તેમની બાબતમાં ધારાશાસ્ત્રીએ એવું અનુમાન કરે છે કે તેમના હિત મુજબ વર્તવાને તે શક્તિવાન છે. અને જ્યારે સાંસારિક બાબતમાં તેમના સામે કાંઇ પ્રતિરોધ કરવામાં આવતા નથી, તેા નૈતિક અને ધાર્મિક કાર્યમાં તેમના ઉપર શા માટે પ્રતિરોધ મૂકવા? તેનું કાંઈ કારણુ નથી. લાયક ઉંમરના માણસની ઇચ્છામાં આવે, તો સારામાં સારા ખજાને અને મીલ્કત આપી દે. સાંસારિક બાબતમાં સરકાર તરફથી કાંઈપણુ દરમ્યાનગીરી અગર ડખલ સિવાય પણ તે તેની તમામ મીલ્કત અને સર્વસ્વના ભાગ આપી શકે, તેા પછી તેના ધાર્મિક વનમાં અટકાવ કરવાનું કાંઇ વ્યા કારણ નથી. જે કાઇ શખ્સ માલમીલ્કતના ત્યાગ કરી પવિત્ર ત્યાગનું જીવન સ્વીકારે અને જનસમાજ અને પરમાત્માની સેવા ગ્રહણ કરે, તો પછી તેની વિવેકબુદ્ધિ ઉપર પ્રતિરાધ કરવાનું કાંઈપણ કારણુ નથી. ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ અગર સખ ડીવીઝનલ માજીસ્ટ્રેટ ધણા વિદ્વાન અને બહુશ્રુત હાય, પણ જેનેાના પવિત્ર વર્ગોમાં દીક્ષા લેવા ઈચ્છનાર શખ્સના દૃષ્ટિબિંદુથી દીક્ષાના સવાલને નિર્ણય કરવામાં તે કેવળ અસમર્થ પણ હોય. પાશ્ચાત્ય ભૂમિએ પૂમાં ધણી બાબતામાં પ્રવેશ કરેલા છે, પર ંતુ હિંદના આધ્યાત્મિક વિકાસક્રમમાં પાશ્ચાત્ય ભાવાને કદિપણ પ્રધાનપદ આપવાનું નથી. આ ઠરાવમાં પ્રાંત ન્યાયાધીશની મ ંજુરી મેળવવાનું લખ્યું છે, તેનાથી ધાર્મિક બાબતમાં જે સ્વતંત્રતાપણું છે અને જેની ભારે માટી ગણના કરવામાં આવે છે, તેના ધ્વંશ થાય છે. અને હું આપને નમ્રતાપૂર્વક જણાવું છું કે જે માણસ લાયક ઉંમરે પહેચ્યા છે, તેના ઉપર આવા પ્રતિરોધની શરત નાંખવી તે ખીલકુલ અનુચિત છે. હવે બીજી રીતે જોતાં, આ ઠરાવથી જૈનાની ધાર્મિક સ્વત ત્રતા ઉપર મેટા હુમલા થાય છે. ત્યાગાશ્રમના પવિત્ર માગ માં હિન્દુ, મુસલમાન, પારસી અને ખ્રીસ્તીઓની દીક્ષામાં કાઇપણ કાયદો અગર કાનુન હેાય, તે મારી જાણમાં નથી. તા જ્યારે હિન્દુ કામ પોતાની ધાર્મિક પ્રવૃત્તિમાં સ્વતંત્ર છે, તો તેમાંથી જૈનને શા માટે ચુટી પ્રતિરોધ કરવા જોઇએ ? હવે ત્રીજી રીતે જોતાં, આ ઠરાવથી જે પ્રગતિશીલ સરકાર તરફથી ધાર્મિક કાર્ડમાં દરમ્યાનગીરી નહિં કરવાના સિદ્ધાંત કર્યાં છે, તેમાં માટા ભંગ થાય છે. જૈનાનું આધ્યાત્મિક કલ્યાણુ શેમાં છે, તેને વિચાર કરવાને જૈતાજ સારામાં સારા વિચારક છે. અને જો કાઉન્સીલ જૈનાની ધાર્મિક બાબતમાં વયમાં પડે અને કાયદા કાનુન ઘડે, તે તે જૈતેમની મર્યાદાના ભંગ કરે છે. જે સેકડા વર્ષથી ધાર્મિક કાર્ય માં તટસ્થતા અને દર્મ્યાન For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy