SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ અને સાક્ષીએ શ્રાવકના નિત્યકૃત્ય સંબંધી મહજિણાણઆણની સઝાય ની કડીઓ સમજાવી હતી. દહેરાસરમાં પણ એજ ભાવના જયવિયરાયમાં શ્રાવકે ભાવે છે કે સંસારથી નિવૃત્ત કયારે થઈએ ? ગુરૂતત્ત્વ વિનિશ્ચયમાં પણ લખેલું છે કે “બાળ દીક્ષાથીજ ધર્મ પ્રવર્તે છે. ' સ. સગીર હોય, બાપ મરી ગયો હોય અને કોક સગીરની મિલ્કત પચાવવાના ઈરાદાથી દીક્ષા અપાવી દે અને લાયક ઉંમરે કદાચ પાછો આવે ત્યારે તેની મિલકત ન હોય, એવું થતું હોય તે રાજ્ય શું કરવું ? જ બાળરક્ષણ માટે સાન થયા પછી ત્રણ વરસનો કાયદે છે, એટલે ત્રણ વરસ સુધીમાં મિલ્કત માટે દાવો કરે તો તે મિલ્કત પાછી મળી શકે છે. સ. સગીર દીક્ષા વેચાણથી સંમતિ વગર અપાતી હોય, એવા સંજોગોમાં સરકારે વચ્ચે પડવું જોઈએ ને ? જળ સંજોગો દબાવવા માટે તે પુરતો કાયદો કરે, જેથી ડર લાગશે અને તેમ થતું હશે તે અટકી જશે. સવ શાસ્ત્ર પ્રમાણે બધું રાખો, માત્ર એટલે રૂઢીનો ફેરફાર કરો કે બાળકને સાથે રાખી તૈયાર કરે ને પછી ૧૮ વર્ષે લાયકાત જોઇને દીક્ષા આપે. તેમાં સિદ્ધાંતનો સવાલ છે. બાળકની સ્થિતિ વધારે કફોડી થાય, વૈરાગ્ય કાયમ ન થાય અને સંસારમાં પાછો આવે ત્યારે નિષ્ફળ થાય, તેથી એ ફેરફાર ન થઈ શકે. કાલમાન પ્રમાણે પણ શાસ્ત્રના મૂખ્ય સિદ્ધાંત કે આચરણમાં ફેરફાર કરે ઈષ્ટ નથી. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy