SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ જ વર્તમાનપત્રકારે પિતાની ફરજ ભૂલ્યા છે. કારણ કે અમોએ મોકલેલા લગભગ બસ જેટલા સત્ય ખુલાસાઓ તેઓએ એકતરફી દેરવાઈ જઈ પ્રસિદ્ધ કર્યા નથી અને કચરાની ટોપલીને સ્વાધીન કર્યા છે. જે તેમ ન થયું હોત તો ભાગવતી દીક્ષાની જે સ્થિતિ થઇ અને કોર્ટમાં લડાઈઓ થઈ તેમ ન થાત. વર્તમાનપત્રો ઉપરથી હું પણ એમ માનવાવાળે થયેલ કે સાધુઓ પઠાણે છે. સમાધાનના દરેકે દરેક પ્રસંગે હું તૈયારજ રહ્યો છું. મુંબઈમાં જૈન યુવક સંઘ તરફથી મળનારી જૈન યુવક પરિષદના પ્રમુખ તરીકે શ્રીયુત્ મણીલાલ કોઠારીનું નામ જ્યારે બહાર આવ્યું કે તરત જ હું તેમને જોરાવરનગર તેમને ઘેર મળ્યો, વાતચીત કરી અને કહ્યું કે રાઉન્ડ ટેબલ મેળવો અને તેમાં નકકી કરો કે આટલી આટલી બાબતોમાં આપણે એકમત છીએ, અને જે બાબતમાં મફેર હોય તે બાબતોને પાંચ આચાર્યો પાસે ન્યાય મેળવો અને તેઓ કહે તે કબૂલ રાખો. તે બાબતમાં વિનવણી કરી, છેવટે અંતરથી ર. શ્રી મણિભાઈએ દલસોજી દર્શાવી અને અમદાવાદ હું આવવાનો છું એટલે ત્યાં મને મળજે એમ કહ્યું. ત્યારપછી તેઓ અમદાવાદ આવ્યા. તેમને હું મળ્યો. ૩ કલાક વાતચીત થઈ અને છેવટે મને મુંબાઈ ગયા પછી ગ્ય કરવા કહ્યું અને અમોને પણ મુંબઈ આવવા જણાવ્યું. અમે પણ મુંબાઈ ગયા અને પ્રમુખશ્રીએ તે માટે મહેનત કરી છતાં પણ કાંઈ નહિં બની શકવાથી છેવટે શેઠ નગીનદાસ કરમચંદને ત્યાં ટેલીફોનથી મને ખબર આપી કે દીલગીર છું કે કાંઈ બની શકે તેમ નથી, અને મને પરિષદમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. મને સંખ્યાનો મેહ નથી. શુરવીર એક હોય છે, સિંહણ એકજ જણે છે. જેમના જડ હૃદય હોય, તેમની સાથે વાટાઘાટ કરવા હું માંગતોજ નથી. જૈન વે. મૂર્તિપૂજક તરિકે તેઓ કહી દે કે આગમ ગ્રંથો અમને પ્રમાણ છે, તે સમાધાન તરતજ થાય. જ્ઞાનીઓએ સર્વ સમયને વિચાર કરીને જ આ આજ્ઞાઓ અને સિદ્ધાંત કર્યા છે, તેમાં કદી ફરફેર થઈ શકે જ નહિં. એક દીવાસળીથી સો જગાએ આગ લગાડી શકાય. પણ તે ઓલવવા માટે તો બા જોઈએ અને ત્યારેજ શાંતિ થાય. જે કાયદો થશે તો ઈડીયામાં વહેલું વહેલું શોવિઝમ આવશે. સ. તમે કહી સંસ્થાના સેક્રેટરી છે ? જ ઍ. ઈ. યુ. મે. જૈ. સ. સંમેલનનો સેક્રેટરી છું. સતેનો ઉદ્દેશ શું છે ? For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy