SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તે કાયદે કરવા યોગ્ય છે કે નહીં ? કેઈપણ રાજસત્તાને ધાર્મિક સંસ્કાર અગર માન્યતાઓમાં અને શાસ્ત્રોનાં ફરમાનોમાં આડે આવવાને ત્યારેજ હક્ક હોઈ શકે કે સમાજને અગર સમાજના કોઈપણ અંગને તેથી હાનિ અગર નુકશાન પહોંચતું હોય, અથવા બીજા કોઈને સ્થાપિત હકકોમાં દખલગીરી થતી હોય, અથવા સ્વીકારાએલા કોઈપણ કાયદા અગર નીતિના બંધારણમાં વાંધો આવતા હોય. જૈન દીક્ષા જેવી નિર્દોષ અને પવિત્ર વસ્તુમાં તેવી કોઈપણ જાતની સંભાવના પણ નથી. દીક્ષિત પિતાનું કલ્યાણ સાધી બને તે બીજાને તેમ કરવામાં મદદગાર થાય છે. એમાં કોઈના હક્કને નુકશાન થાય છે તેવું ક્યાંય પણ નથી. તે પછી જૈનોની ધાર્મિક લાગણી એને આઘાત પહોંચાડી ધાર્મિક માન્યતાઓમાં પ્રતિબંધ શું કામ ? નામદાર મહારાણી વિકટોરીઆના ઢંઢેરાનો સિદ્ધાંત દરેક રાજ્યને માન્ય છે, તે પછી વડોદરા રાજ્યનો “દીક્ષા પ્રતિબંધક નિબંધ ” કેમ હોઈ શકે ? અને જૈન કેમ આ નિબંધ કેવી રીતિએ સહન કરી શકે ? અહીં કોઈ કહેશે કેકેટલાક “જૈનો’ પણ આ કાયદાની તરફેણમાં છે, તો તેને જવાબ એ છે કે–એ કાયદાનું મૂળભૂત કારણુજ એ કહેવાતા જનો છે. જૈનસમાજમાં નહીં ફાવવાથી આવી રીતે રાજ્યના કાયદાનું શરણ લેવાય છે પરંતુ પ્રથમ સવાલ એ છે કે–જૈન કોણ? જૈન ધર્મ છે અને તે ધર્મને નહિં માને તે જૈન જાતિમાં જન્મવા છતાં, જૈન તરીકે દુનિઆ એને ઓળખે છતાં, વાસ્તવિક જૈન નથીજ. અને વડોદરા રાજ્યનો “દીક્ષા પ્રતિબંધક નિબંધ” જૈનશાસ્ત્રોથી તદન વિરૂદ્ધ છે એમ એખી રીતિએ સાબીત કરતાં જરાપણ વાંધો આવે તેમ નથી. તો પછી જૈન ધર્મમાં, શ્રદ્ધાળુ વર્ગની ધાર્મિક માન્યતાઓમાં તથા તેઓના ધાર્મિક સંસ્કારમાં આડે આવવાની કોઈ પણ રાજ્યની સત્તા હોઈ શકે નહીં, સિવાય કે તેનાથી બીજા નીતિ અગર કાયદાના નિયમને બાધ આવતો હોય. પણ તેવું તો કાંઈ છે નહીં. અને તેવો પ્રસંગ કલ્પી લઈએ તો રાજ્યના કાયદાઓમાં તેને માટે પૂરતો બંદોબસ્ત છે. ઉપરનાં કારણોથી વડોદરા રાજ્યના સત્તાધિકારીઓને વિનવી શકાય છે કે-“દીક્ષા પ્રતિબંધક કાયદો ” તદ્દન બીનજરૂરી અને જૈન જેવી શાંત અને ધાર્મિક કોમની હૃદયની લાગણીઓને અત્યંત દુભાવનાર છે. પ્રજાના સ્વીકારાએલા હકક્કોમાં વિના કારણે દખલગીરી કરનાર છે. જૈન ધાર્મિક સિદ્ધાંતોને બોધ પહોંચાડે છે અને બીલકુલ બીનજરૂરી છે; માટે વહેલામાં વહેલી તકે તે નિબંધને પાછો ખેંચી લેવો જોઇએ. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy