SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વાત પણ ગ્યનથી, વ્યાકુળ થવું અને કવીત બનવું તે શરૂઆતના સાધકમાં હોય છે ઉચકેટીના સાધકે સ્થિતપ્રજ્ઞ હોય છે તેમને આ કેઈજ ભાવ થતો નથી. જ્યારે ભ. શ્રી નેમિનાથ તે આઠ આઠ ભાવથી ઉચ્ચ કેટીની સાધના કરી આ નવમાં ભવમાં ગર્ભકાળથી જ ત્રણજ્ઞાનથી ચુકત હતાં અને સાધનાની પૂર્ણ સિદ્ધિઓ પહોંચવાના હતાં. આગળ વધી આચાર્ય શ્રીએ એમ પણ લખ્યું છે કેપશુઓને મુકત કરવાનો આદેશ કરી કંપતા હૈયે તેઓ લગ્ન વિધિ પહેલાં જ ત્યાંથી ચાલ્યા જાય છે.” આ વાત ખોટી છે તેઓ ત્યાં લગ્ન કરવા આવ્યાં ન હતાં પણ તેમને આવવું પડયું હતું તેથી તેમને હૃદયકપથવાનું કોઈજ કારણનહતું. આથી આ. શ્રી દ્વારા કરાયેલ આ રજુઆત કઈપણ જૈનશાસ્ત્રોમાં જોવા મળતી ન હોવાને કારણે વિકૃત છે, તથા ભ. શ્રી નેમિનાથના જીવનને અન્યાય કરનાર છે. જે નૃત્ય નાટિકાને ટેકો આપવા માટે આવી ઘર્મશાસવિરૂદ્ધ અને ભ. શ્રી નેમિનાથના જીવનથી વિરૂદ્ધ રજુઆત કરવી પડે તે મૃત્ય-નાટિકા કેટલું નુકશાન કરશે તે કહેવું પડે તેમ છે? વળી આચાર્યશ્રીજીએ તેમના સ્નાત્ર મહોત્સવમાં ઈન્દ્રસિંહાસન કંપસમયે શ્રી ચૌહાણ દ્વારા કરાતાં અભિનયને “સુંદરરીતે વ્યકત કરે છે” એમ કહીને બિરદાવ્યા છે. તે તે અંગે એટલું જ જણાવવું છે કે-સ્નાત્રમહોત્સવના પ્રસંગમાં ઈન્દાસહાસન કંપથી શ્રી ચૌહાણ જાણે સિંહાસન ઉપરથી નીચે પડી ૮-૧૦ ગુંઠમડાં ખાઈ જાય છે. આ કોઈપણ રીતે વ્યાજબી નથી જ, કારણ કે જન શાસ્ત્રના કેઈપણ પાને એવી વાત નથી જ નાંધાઈ કે ઈન્દ્રાસન કંપથી શ્રીઈન્દ્ર મહારાજા સિંહાસન ઉપરથી પડ્યાં હોય અને ગોઠમડાં ખાધા હોય. આવા ન બનતા બનાવને રજુ કરે અને તેને એક વિદ્વાન જનાચાર્યે સુંદર કહી પ્રોત્સાહન આપવું તે કેટલું ઉચિત છે ? For Private and Personal Use Only
SR No.020386
Book TitleJain Dharm Ane Natak
Original Sutra AuthorN/A
AuthorKirtiyashvijay
PublisherNavinchandra Khimji Mota
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy