SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનગરમાં આક્રમણની આવી અનેક ઉથલપાથલ થઈ છેવાથી શહેરમાં અને ડુંગર ઉપર કેટલાંક જૈન મંદિરો સિવાય પુરાતન અવશેષ બહુ ઓછા જ જોવામાં આવે છે. વજમાતાનું મંદિર, ડુંગરની ઊંચી ટોચ ઉપર બાંધવામાં આવેલું રાવ ભાણની કુપિતા રાણીનું લોકભાષામાં ઓળખાતું “રૂઠી રાણીનું માળિયું, રાવ રણમલની ચેકી, કળનાથ મહાદેવ, લીઈગામની પુરાતન વાવ, ધાંટીની બાજુમાં આશા ડાભીની વાવ, અને ગામમાં ચતુર્ભુજની વાવ એ આ સ્થળનાં પુરાતન સ્થાને છે. ડુંગરની હારની બીજી બાજુએ ગામની આસપાસ એક કેટ છે. આ બધાં સ્થળો ૧૪મી સદીથી પહેલાનાં હેય તેમ લાગતું નથી. રણમલેશ્વર, પાળેશ્વર અને રાણું તળાવ પણ ૧૪મી સદી કે તે પછીનાં જણાય છે. ડુંગરની પશ્ચિમ બાજુએ “ફાટા તળાવ’ને નામે જાણીતું એક જૂના તળાવ જેવું સ્થાન જણાય છે અને ત્યાં રેતીઆ પત્થરને બદલે ઈટ વાપરેલી જણાય છે. અહીંનાદિગંબર જૈનેના પુસ્તકાલયમાં કાનડી અને દેવનાગરી લિપિમાં જૂના તાડપત્ર પર લખાએલાં કેટલાંક પુસ્તક છે જે ઉપરથી અહીંના જૈનાચાર્યો અને સાધુઓને છેક દક્ષિણ હિંદ સાથે સંબંધ હશે એમ માનવાને કારણ છે. આમાંના ઘણાંખરાં ધાર્મિક અને કોઈ કોઈ વૈદક સંબંધીનાં પુસ્તક છે. વડાલી ઈડરથી સાત માઈલ ઉત્તરે આવેલું વડાલી ગામ આ સંસ્થાનમાં ઈડરથી બીજા નંબરનું ગામ છે. ડુંગરે વચ્ચેની ફળદ્રુપ ખીણના સપાટ પ્રદેશમાં તે આવેલું છે. ચીની પ્રવાસી હ્યુએન સંગના ઉલ્લેખ મુજબ ઇસ્વી સનના છઠ્ઠા સૈકામાં એ એક સમૃદ્ધ નગર હતું અને “ઓછાલી' નામથી તેણે એનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતના ૧૩ For Private and Personal Use Only
SR No.020381
Book TitleIdar Samsthanna Ketlak Puratan Avshesho
Original Sutra AuthorN/A
AuthorPandharinath A Inamdar
PublisherDepartment of Archeology
Publication Year1937
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy