SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) ૮. જે માણસ ત્રિફળા અને પીપરનું ચૂર્ણ મધ સાથે ચાટે છે, તેનું પીનસ જલદી મટી જાય છે, તેમજ એજ ઓષધ સેજાને અને મહાશ્વાસને પણ જલદી મટાડે છે. ૯. મધ્યરાત્રી વીતી ગયા પછી સવારમાં ઊઠીને નિત્ય જે માણસ નાકનાં છિદ્રદ્વારા પાણી પીએ છે, તે માણસ બુદ્ધિમાન થાય છે, તેની દષ્ટિ ગરૂડ જેવી દીધે થાય છે, તેના શરીર પર વૃદ્ધાવસ્થા ની કરચલીઓ પડી હોય તથા પળિયાં આવ્યાં હોય, તે તે પણ માટી જાય છે, અને તે રોગથી નિમુકત થઈને લાંબા આયુષ્ય ભેગવે છે. ૧૦. દહીં સાથે મરીનું ચૂર્ણ ચાટવાથી, ગેળસાથે શુંઠ ખાવાથી, અથવા ગહુની ખીચડી ખાવાથી પીનસ રોગ દૂર થાય છે, ૧૧. શંખ, ગેકર્ણ ( ? ), ધાવડી, જેઠીમધ, એ એષધીઓનું કલ્ક કરીને તેને ના દૂધમાં નાખીને જેને નાકમાંથી લેહી નીકળતું હોય તેને સુંઘાડવું. ૧૨. દાડમના ફૂલને રસ, અથવા દરેનો રસ, અથવા કેરીની ગોટલીને રસ, અથવા ડુંગળીને રસ, એમાંથી કેઈપણ એક રસ સુંઘવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે, ૧૩. ઘરને ધૂમાસ, પીપર, દેવદાર, જવખાર, હળદર, કરંજ, સિંધવ, અઘાડાનાં બીજ, એ ઔષધેથી સિદ્ધ કરેલું તેલ નાકમાં મૂકવાથી નાકને રેગ દૂર થાય છે. ૧૪. હરડે, દાડમનાં ફૂલ, લાંગળ જાતની ડાંગરના ચેખા, એ સર્વને પાણીમાં વાટીને તેને સુંઘવાથી નાકમાંથી લેહી વહેતું બંધ થાય છે એમ સાંભળ્યું છે. मुखरोगः મુખરક્તના ઉપચાર पिष्वा तंदुलतोयेन कुस्तुंबरशिफा मुखात् । स्तंभयेनिपतद्क्तं प्रातः पीतं तु वेगतः ॥ ५१ ॥ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy