SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૬ હિંદુઓનું સમાજરચનાશા તે માતાને ઘરની બહાર કામ કરી મદદ કરવાની જરૂર જણાશે નહિ. આવા પ્રશ્નોનો ઉકેલ વ્યક્તિના આપેલા મતે સરકારી અહેવાલમાં ભેગા કરી, તેમના આધારે કાયદા કરીને કંઈ થઈ શકશે નહિ. ઉપર કહેલા પ્રશ્ન જેટલે ઉપરઉપરથી સહેલે લાગતો પ્રશ્ન બીજે ભાગ્યે જ કોઈ બતાવી શકાશે. પછી તે પ્રશ્નોને ઉકેલ મતેની યાદી કરવાથી શી રીતે થઈ શકશે ? ખરી હકીકત એમ છે કે આવા પ્રકારના સામાજિક પ્રશ્નોનો નિર્ણય વાદવિવાદની પદ્ધતિથી કરવાનો નથી હોતો. બંને સ્થિતિનું સાહચર્ય કંઈ તેમાંને કાર્યકારણભાવ બતાવતું નથી અને કારમાત્રામ: પ્રતિભાશા અમારે મુદ્દો એ છે કે કાર્યકારણુભાવ શોધી કાઢયા સિવાય કરેલી કાઈ પણ સુધારણા વધારે વખત ટકી શકતી નથી. કારણ શેધ્યા પછી જ આપણે આપણું ઉત્સાહ, બુદ્ધિ, શક્તિ, દ્રવ્ય વગેરેનો ઉપયોગ તે બાબતને મૂર્ત સ્વરૂપ આપવામાં કર જોઈએ, તે જ સમાજનું કલ્યાણ થશે. જુદી જુદી જાતિઓનું એકીકરણ કરવાને પ્રશ્ન ઘણી વખત પૂછાય છે તેને હવે વિચાર કરીએ. જાતિઓનું એકીકરણ કરવાની પહેલી પદ્ધતિ એટલે જે જાતિના સમૂહ પડ્યા છે, તે સર્વની એક સમૂહમાં ગણત્રી કરી એકંદરે સમાજમાં જાતિભેદ ઓછો છે એમ બતાવવું. આ પદ્ધતિનું અવલંબને સમાજ નેતાઓએ અને આજના વસતિપત્રકના અહેવાલ લખનારાઓએ કર્યું છે. તેને સમાજમાં સંધની સંખ્યા ઓછી દેખાશે, એમાં કંઈ શંકા નથી. પરંતુ પછી જે ઉપસંઘે છે એટલા જ રહે તો એકંદરે સમાજશાસ્ત્રની દૃષ્ટિએ શે ફરક પડ્યો ? ધારો કે આવતી કાલે હિંદુનામની દરેક વ્યક્તિને થશેપવિત આપી બાહ્મણ સંજ્ઞા આપીએ એટલે હિંદુસમાજ એક નામધારી થશે અને ધારે કે બધાની ગણત્રી બ્રાહ્મણ નામ હેઠળ 1 શ્રી ભાસકર વિઠોબા જાધવે વરિષ કાયદામંડળમાં આણેલે કાય, For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy