SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪ હિંદુઓનું સમાજરચનાશા કરતાં વિચાર કરીશું તે એમ જણાશે કે હિંસાપ્રિય સૃષ્ટિમાં સંસ્કૃતિનું એટલે ધર્મનું રક્ષણ એ જ ફકત એય બાકી રહે છે. એમ હોય તે જે વખતે સમાજ સમર્થ બનાવવા અનેક યુક્તિઓનું સૂચન કરવામાં આવતું અને જ્યારે જ્યારે તે યુકિતઓનો સમાજમાં અવલંબ થતું ત્યારે ત્યારે સમાજ સમર્થ થયો હતે એમ સિદ્ધ થવું જોઈએ. નહિ તે કાલની સ્થિતિ કરતાં આજની સ્થિતિ સારી છે એને માત્ર કપના સિવાય બીજો કોઈ પણ પુરા મળશે નહિ. શાસ્ત્રીય પદ્ધતિથી બેલનારને તો કયાંથી નિકળ્યા, કયાં જવું છે અને તે બે દષ્ટિબિંદુ વચ્ચેની ગતિ માપવાને માનદંડ કર્યો વગેરે બાબતેને પ્રથમ નિશ્ચય થવો જોઈએ અને પછી જ સુધારણાની ભાષા વાપરવી જોઇએ. અમારું કહેવું એક અત્યંત સહેલું ઉદાહરણ લઈ સ્પષ્ટ કરીશું. ધારો કે એવી સ્થિતિ દષ્ટિગોચર થઈ કે મીલમાં કામ કરનારી સ્ત્રીઓના બાળકેમાં બાલમૃત્યુની સંખ્યા વધુ પ્રમાણમાં હોય છે. તે અમારી તરફના સુધારાના મત પ્રમાણે વિવાહિત સ્ત્રીઓને કામ કરવાની ના કહેવી પડશે. પરંતુ બાલમૃત્યુનું પ્રમાણ અને કામ કરવું એ બંનેનું સાહચર્ય કંઈ તેમની વચ્ચેનો કાર્યકારણ ભાવ દર્શાવતું હશે જ એમ નહિ કહી શકાય. જે કાર્યકારણે ભાવ જ ન હોય તે એ સ્થિતિમાં સુધારણું કરવાથી પરિણામમાં શું ફરક પડશે? હાલે આવી સ્થિતિને ગણિતાત્મક પદ્ધતિથી અભ્યાસ કરવાની રીત શોધાઈ છે. આ પહતિથી અભ્યાસ કરવાનું હોય તે એકાદ સ્થિતિ બીજી કઈ સ્થિતિ પર પૂર્ણ શે અવલંબીને હોય તો તે સ્થિતિને સે માર્કસ દેવાના. તેને અંગ્રેજીમાં Coefficient of relation કહે છે. આવા જુદા જુદા Coefficients કાઢી તે ઉપરથી કારણોની ગુણનુક્રમે મીમાંસા કરવી જોઈએ. આ બધા Cofficient કાઢી તેને Pamphlete -Karl Pearson. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy