SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિક બરિ કહ્યા ૫૭. mwanamamanannnnaaawwwwwwwwwwww પદ્ધતિથી સંક્રાન્ત થનારો ગુણ ચુંટી તે ગુણવાળે નર અને તે ગુણના અભાવવાળી માદાની સંતતિને એ ગુણવાળી માદા અને તે ગુણના અભાવ વાળા નરની સંતતિ સાથે તુલના કરી ગુણ સંક્રાન્તિ પુરૂષ પ્રધાન છે કે સ્ત્રી પ્રધાન છે તે નિશ્ચિત કરવું જોઈએ. આવા પ્રકારને એક પ્રયોગ નીચે આપ્યા પ્રમાણે મળી આવે છે. એક વગર કાનના ઘેટાને કાનવાળી ઘેટીથી થયેલી સંતતિમાં પાંચ ઘેટાં ટુંકા કાનવાળાં થયાં, ત્યારે વગર કાનની ઘેટીને કર્ણયુક્ત ઘેટાથી ફક્ત એકજ ઘેટું ટુંકા કાનનું થયું. આવી રીતે નવી બાર અને જુની ચાર એમ એકંદરે સોળ જાતિઓ બની. તેમાંથી જાતિઓ શરૂઆતથી જ સંસ્કારહીન કરી આ નતિઓની લોકસંખ્યા આવા પ્રકારના વિવાહ થશે તેના પ્રમાણ પર આધાર રાખશે. આ પ્રમાણે વૈદિક સેળ જાતિઓ અને ઈતર અવૈદિક સમૂહે હિંદુસ્તાનમાં પ્રતીત થવા લાગ્યા. આ વિચાર જન્મને અનુસરીને થયો. સાથે સાથે સંસ્કાર દૃષ્ટિએ પણ વિચાર થવો જોઈએ. એકજ વંશના બે પુરૂષોની પ્રજોત્પાદક ઘટક તરીકેની લાયકાત સરખી હોય છે. પરંતુ સમાજમાં સુસંસ્કૃત અને અસંસ્કૃત બંનેને સમાન સ્થાન પ્રાપ્ત થવું શક્ય નથી. વિશ્વવિદ્યાલયની પદવી એ જે સંસ્કારનું કામચલાઉ સ્વરૂપ માનીએ તો પણ પદવીવાળા અને પદવી વગરના સગા ભાઈઓને પણ સમાજમાં સમાન સ્થાન કેઈ પણ નહિ આપે. સંસ્કારોથી અને આચારોથી વ્યક્તિનું ચારિત્રય બનાવવાના પ્રયત્નો થયા કરે છે. જે એ બધું પાળે છે અને જે પાળતા નથી એ બંનેને શાસ્ત્રકારોએ સરખા લેખ્યા નથી તે એ કંઇ એમની ભૂલ નથી. જે ભૂલથી કે અડચણને લીધે અસંસ્કૃત રહ્યા તેમને સંસ્કારયુકત .? Prepotency of the male in Genetics-Babeock & clausen. 2 Breeding earless sheep-Journal of Heredity 1921. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy