SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૬ હિઓનું સમાજરચનાશાજ (૧) અસ્પૃશ્યતાએ (Segregation) પછી એ નિત્ય હોય કે નૈમિત્તિક હય, વ્યક્તિની હોય કે સમૂહની હેય, સમાજની ઉન્નતિમાં તેવી જ રીતે જીવની ઉત્ક્રાંતિમાં કંઈ પણ કાર્ય કર્યું છે કે નહિ ? (૨) સમાજની વિભાગણી મૂળ ક્યાં તો પર થએલી છે? તમે જે નૈતિક મૂલ્યો પ્રચલિત કરવાના છે તેને મૂળ તો સાથે વિરોધ છે કે? (૩) હિન્દુસમાજની વિભાગણી જે તવા પર કરવામાં આવી છે તે તરવાનું બની શકે તેટલું પાલન કરવા માટે હિન્દુસમાજશાસ્ત્રોએ શી શી યુક્તિઓ કરી ? તે યુક્તિઓમાંની આ પણ એક યુક્તિ છે કે નહિ ? હવે આ ત્રણે પ્રશ્નોને અનુક્રમે વિચાર કરીએ અસ્પૃશ્યતા એટલે વિભકિતકરણ (Isolation or Segregation) હિન્દુસમાજની પદ્ધતિ અનુસાર પશુપક્ષીઓથી મનુષ્ય સુધી સામાજિક ઉત્ક્રાંતિમાં જેને જેને સંબંધ આવે છે તે સર્વને અનુક્રમ લગાડી તેમના અધિકાર લગાડી દીધા છે; પરંતુ આ વિભકિતકરણની આવશ્યકતા શી છે એ પ્રશ્ન પૂછાય છે. તેથી વિભકિતકરણનું સમાજના જીવનમાંનું કાર્ય કર્યું એને વિચાર કરીએ. આધુનિક શાએ ગુણદષ્ટિએ કરેલી માનવજાતની વિભાગનો ઉલ્લેખ અમે પાછળ કર્યો જ છે. તેમાં સર્વશ્રેષ્ઠ દશ ટકા અને બાકીના મધ્યમ ૮૦ ટકા એમ વિભાગનું થાય છે. (એમ આપણે જોયું) તેમાંથી સૌથી ઉપરના શ્રેષ્ઠ જે દશ ટકા તેમને ઇતર સમાજથી વિભક્ત કરવા હિતકારક થશે એવો મત લગભગ બધા પ્રાણુશાસ્ત્રનું અને સમાજશાસ્ત્રજ્ઞ દેવા લાગ્યા છે. જેમ ઉપરના વર્ગનું વિભક્તિકરણ કરવું ? Segregation of the Fit by R. F. Freoman; National Deony by Mc Dougal; Need of Eugenio by L. Darwin. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy