SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિ, લગ્ન સંસ્થા એ નિયમ જાતા હોવાથી સ્મૃતિકાએ કેટલેક ઠેકાણે અપવાદ પણ કહ્યા છે. અમે અગાઉ કહી ગયા છીએ તે પ્રમાણે પુરૂષ પિંડની ઉત્પાદક શક્તિ સ્ત્રી પિંડની ઉત્પાદક શક્તિ કરતાં વધારે કાળ રહે છે, તેથી પુરૂષોને હંમેશા બ્રહ્મચર્યને ઉપદેશ કરવાને, સ્ત્રીઓને નહિ. એ માટે બીજાં પણ ઘણું કારણ છે તેનું વિવેચન યથાપ્રકાશ ચર્ચામાં આવશે. સ્ત્રીને ઋતુપ્રાપ્તિ થયા પછી બની શકે તેટલી જલદી તેની ઋતુશાન્તિ થાય નહિ તે તેને શરીરમાં અને માનસપિંડમાં ન સુધારી શકાય એવી વિકૃતિઓ થાય છે. એમ ડૉ. નર્મન હેઅર કહે છે. હિંદુસ્તાન જેવડા વિશાળ દેશમાં સ્ત્રીપિંડનુ ઋતુપ્રાપ્તિનું નિશ્ચિત વય કહેવું શક્ય નથી અને ઋતુપ્રાપ્તિ સાથે ઋતુશાન્તિ તે થવી જોઈએ. એટલે વિવાહનું વય તે કાલ પહેલાં ક્યારેક પણ રાખવું જોઈએ. પરંતુ તે પહેલાં ક્યારેક વધુ વરને સહવાસ (આજ સહવાસેત્તર વિવાહમાં સહવાસ શબ્દ વપરાય છે તે અર્થે નહિ.) થવો જોઈએ; તેમણે યાનુસાર अष्टवर्धा भवेत्कन्या नववर्षातु रोहिणी । दशवर्षा भवेद्गौरी अत उर्व रजस्वला ॥ એવી વ્યવસ્થા કરી છે. આ નિયમાનુસાર વ્યવસ્થા થાય તે અલૌકિક શુભ ફળ, અને ન થાય તે અલૌકિક અશુભ ફળ કહ્યું છે. આ ઉપરથી દેખાઈ આવશે કે આર્ય પદ્ધતિમાં ઉપગ પૂર્વે સહવાસ છે. આપણે સુશિક્ષિત થવાથી હિંદુની મૂળ પદ્ધતિ છેડી દીધી અને ઘુસાડેલી પદ્ધતિ એ જ મૂળ પદ્ધતિ છે એમ કહી તેનાં ભાવનાપ્રધાન વર્ણને શરૂ થયાં આ જે ટીકાઓ થવા લાગી, તેમાં કાઈડ પ્રણીત માનસશાસ્ત્રીય પદ્ધતિને અગર પાવલાવ કે ડો. વૈટસન પ્રણીત માનસશાસ્ત્રીય પદ્ધતિની કયાંય પણ ગંધ હતી. પ્રાચીન ઋષિઓના નિયમો જોઈએ તે તે પોતાનું વર્તન આચાર પ્રધાન (Behaviourist) પદ્ધતિથી નિયંત્રિત કરતા અને જેમના Future of Marriage-Norman Haire. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy