SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३१४ હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર એજ કે લેકસંખ્યામાં પ્રકૃષ્ટની ચુંટણી અને નિકૃષ્ટને નાશગ્ય રીતે થતાં નથી. આ સમાજમાં જે લેકે વધુ પ્રમાણમાં જીવવા જાઈએ તે જીવતા નથી અને જે મરવા જોઈએ તે મરતા નથી, તેથી આ દોષ સમાજરચનાને છે એમ કહી શકાય. એકાદ સમાજમાં ગાંડાઓનું અને ગાંડપણ જેવા બીજા માનસિક રોગોનું પ્રમાણ વધતું જવું એ સમાજની રોગી સ્થિતિનું લક્ષણ છે. મનદૌર્બલ્ય અને ગાંડપણું એ આધિ ભૌતિક શકિતઓનું પરિણામ છે એમ માની એવા લોકે સાથે સમાજપૂર્વે ક્રૂરતાથી વર્તતે, તેથી તેમની વૃદ્ધિ ઝડપથી થતી નહિ પરંતુ હવે તે ઘરમાં મૂત્ત થવાથી તે વ્યકિતઓની જીવનયાત્રા થેડીઘણી સુખકર થઈ છે. પરિણામે તેમનામાં પ્રજોત્પાદન ઘણી જ ઝડપથી થાય છે. સુવ્યવસ્થિત પ્રજા કરતાં આવી પ્રજાની ઉત્પાદન શકિત ઘણું જ વધારે હોય છે. એ બાબત અનેક ગ્રંથકારોએ સિદ્ધ કરી બતાવી છે. આ વૃદ્ધિનું નિયંત્રણ કેમ કરવું તેને પણ સમાજે વિચાર કરવાને છે. સેન્દ્રિય પ્રાણીની હીલચાલ એટલે તેમની શકિતને ક્ષય. તે પિડ જેટલી શકિતને ક્ષય કરે તેટલી જ શક્તિ તે ફરીથી મેળવે તે તે સુવ્યવસ્થિત રહેશે. તેથી પ્રત્યેક સજીવ સેન્દ્રિય પ્રાણીઓમાં વ્યય અને “આય” એ બંને સમપ્રમાણમાં હોવા જોઈએ. એ જ નિયમ સમાજને પણ લાગુ પડે છે. સમાજમાં આય (આવક) અને વ્યય સરખાં હોવાં જોઈએ. સમાજની હિલચાલ, જુની વ્યક્તિઓને નાશ અને નવી વ્યકિતઓનું આગમન, આ બંને પ્રક્રિયા પર અવલંબીને છે. આ નિયમ સનાતન હોવાથી જીવનાશ થયા સિવાય સમાજની ગતિ જ ચાલુ રહેશે નહિ પરંતુ તે જીવનાશ નૈસર્ગિક નિયમ વડે થવો જોઈએ, અનૈસર્ગિક પદ્ધતિથી નહિ. એક અનૈસર્ગિક પદ્ધતિ તે આત્મનાશ છે એ આગળ કહ્યું જ છે. અહીંથી ચાલી જનારી વ્યકિત 1 Eugenjos-Denn Inge. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy