SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વિચાર Aધણી વખત લાક સમાને જ પ્રમાણે નિયમે નક્કી કરવાની પાશ્ચાત્ય પદ્ધતિ ભૂલભરેલી છે. નીતિનું કાર્ય બે પ્રકારનું છે, એક હિતકારક અભિરૂચિની વૃદ્ધિ કરવી અને બીજું અહિતકારક અભિરૂચિની વૃદ્ધિનું નિયંત્રણ કરવું–આ બંને કાર્યો કરવા માટે જ નીતિની ઉત્પત્તિ થઈ છે. હિતકારકત્વ કે અહિતકારકત્વ નક્કી કરવાનું કામ અભિરૂચિનું નથી. અભિરૂચિ તે “સુખ” અને “અસુખ' એટલું જ માત્ર સમજી શકે છે. વ્યક્તિને અને ઘણી વખત આખા સમાજને અભિરૂચિનું હિતકારકત્વ સમજાતું નથી તેથી જ કેટલાક સમાજે સૃષ્ટિમાંથી નાશ પામ્યા છે. જે સમાજોને નાશ થયો તેઓ પિતાની અભિરૂચિ પ્રમાણે વર્તતા હતા. એટલા માટે જ પ્રથમથી જ હિત શામાં છે એ સમજી સમાજરચના કરવી જોઈએ, કે જેથી હિત અને સુખ પરસ્પર પૂરક બની રહે. ધર્મ કે હિત અને સુખ એ બંને વચ્ચે ભેદ ઉત્પન્ન થાય અને અભિરૂચિની પ્રવૃત્તિ સુખ તરફ થાય તે અભિરૂચિમાં ફેરફાર કરવાનો પણ ધર્મમાં નહિ. ભગવાન શંકરાચાર્ય કહે છે કે, “ हि यं प्रतिविधीयते स तस्य धर्मः न यः येन स्वनुष्ठातुं शक्यते વક્તા આત્મબુદ્ધિને મુખ્ય પ્રમાણમાંનું એક પ્રમાણ માનનારા આધુનિકેએ અમે ઉપર કહેલી બાબતોને છેડે વિચાર કરવો જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ. આત્મતૃષ્ટિ પ્રમાણુ કહ્યા પછી તેમાં ઉત્પન્ન થતી અડચણોમાંથી મુક્ત થવા માટે સુખોના પ્રકાર કહી તેનું વર્ણન કરવા કરતાં તે પ્રામાણ્યની યોગ્યતાને જરા દીર્ધદષ્ટિથી વિચાર કરવો એ જ વધુ ફાયદાકારક નિવડશે. વ્યકિતનું દુઃખ એ જ સમાજરચનાનું પરિણામ છે, એવા મતને સમાજમાં એક વખત પ્રસાર થશે, એટલે સમાજના નિયામક બધા વિધિનિષેધે નષ્ટ થાય છે અને સમાજ વ્યકિતપ્રધાન સ્થિતિ જેવી વિનાશક સ્થિતિ તરફ ધીમે ધીમે ઘસડાવા લાગે છે. કઈ પણ ૧ પરિવાર નિયતતીર્થ કાજે, For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy